અમદાવાદઃ શહેરના જમાલપુર વિસ્તારમાં આવેલા જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજને મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે. જે સંદર્ભે જગન્નાથ મંદિરમાં સંત સમાજની એક મહત્વની બેઠક મળી હતી. બેઠકમાં આનંદ રાજેન્દ્રગીરી, ચૈતન્ય શંભુ મહારાજ, મોહનદાસજી મહારાજ, અખિલેશ્વર દાસજી, રાજચંદ્રદાસજી, રામમનોહર દાસજી જેવા અનેક મોટા સંતો ઉપસ્થિત રહ્યા હતા.
Advertisement
Advertisement
દિલીપદાસજી મહારાજ જગન્નાથ મંદિરના ગાદીપતિ છે
નૌતમ સ્વામીને હટાવ્યા બાદ અધ્યક્ષનું પદ ખાલી પડ્યું હતું. હવે જગન્નાથ મંદિરના દિલીપ દાસજી મહારાજને આ જવાબદારી સોંપવામાં આવી છે. અમદાવાદમાં અખિલ ભારતીય સંત સમિતિની બેઠક મળી હતી. જેમાં અખિલ ભારતીય સંત સમિતિના નવા અધ્યક્ષના મુદ્દે નિર્ણય લેવામાં આવ્યો છે. અખિલ ભારતીય સંત સમિતિના નવા પ્રમુખની નિમણૂક કરવામાં આવી છે. મહંત દિલીપદાસજી મહારાજને રાજ્યના કાર્યકારી પ્રમુખ બનાવવામાં આવ્યા છે. અખિલ ભારતીય સંત સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ કુબેરાચાર્ય અમદાવાદમાં છે. દરમિયાન આ મોટી અને મહત્વની જવાબદારી દિલીપદાસજી મહારાજને સોંપવામાં આવી છે.
વિવાદાસ્પદ નિવેદન બાદ નૌતમ સ્વામીને પ્રમુખ પદેથી હટાવી દેવામાં આવ્યા હતા. તે પછી આ જવાબદારી હંગામી ધોરણે મોહનદાસજી મહારાજને સોંપવામાં આવી હતી, કારણ કે અખિલ ભારતીય સંત સમિતિનું આ પદ ખાલી રાખી શકાય નહીં. તેથી મોહનદાસજી મહારાજને પ્રદેશ કાર્યકારી પ્રમુખ તરીકે આ પદની જવાબદારી સોંપવામાં આવી હતી.
અખિલ ભારતીય સંત સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ કુબેરાચાર્ય અવિચલ દેવાચાર્ય અમદાવાદ આવ્યા છે. ગુજરાતના બોટાદ સ્થિત સાળંગપુરધામમાં હનુમાનજીની ભવ્ય પ્રતિમાની નીચેના ભીંતચિત્રમાં હનુમાનજીને સહજાનંદ સ્વામીના સેવક તરીકે દર્શાવવાના મામલે વિવાદ ઊભો થયો હતો અને નૌતમ સ્વામીએ આ બાબતે વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું, ત્યારબાદ તેમને અખિલ ભારતીય સંત સમિતિના હોદ્દા પરથી દૂર કરવામાં આવ્યા હતા. હવે આ જવાબદારી દિલીપદાસજી મહારાજને સોંપવામાં આવી છે.
Advertisement