સુરતઃ લવ મેરેજને લઈને પાસોદરા ખાતે સર્વ સમાજની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં એક કમિટીની રચના કરવામાં આવી છે જે ગુજરાતના તમામ ધારાસભ્યો અને સાંસદોને રૂબરૂમાં મળીને લવ મેરેજના કાયદામાં સુધારા અંગે રજૂઆત કરશે. રજૂઆતનો નિકાલ નહીં આવે તો સરકાર સામે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. ચિંતન શિબિરમાં ખાસ કરીને હિન્દૂ યુવતીઓને અન્ય ધર્મના યુવકો સાથે લગ્ન ન કરવા માટેના પગલાં પર ભાર મૂકવામાં આવ્યો હતો.
Advertisement
Advertisement
માંગણી ન સ્વીકારાય તો આંદોલન કરવામાં આવશે
સુરતમાં યોજાયેલી સર્વ સમાજની ચિંતન શિબિરમાં 32 જેટલા વિવિધ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં ચર્ચા બાદ સરકાર સમક્ષ ચાર મુદ્દા રજૂ કરવા પર સંમતિ સધાઈ હતી. ગામમાં જ લગ્ન નોંધણી, પોલીસ વેરિફિકેશન, તલાટીથી લઈ મામલતદાર સુધી ડોક્ટુમેન્ટના વેરિફિકેશન તથા લગ્ન માટે માતા – પિતાની ફરજીયાત સહીની માંગ કરવામાં આવી છે. સરકાર સમક્ષ રજૂ કરવામાં આવેલી માંગ ન સ્વીકારાય તો આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. ચિંતન શિબિરમાં કહેવામાં આવ્યું હતું કે, દીકરી લગ્ન કરે તેનો વાંધો નથી પણ તેઓ માતા પિતાને જણાવ્યા વિના લગ્ન કરી લે છે તેનો વાંધો છે.
બેઠક બાદ મીડિયાને માહિતી આપવામાં આવી હતી કે 4130 જેટલાં નકલી લગ્ન થયા છે અને તેને લીધે દરેક સમાજના લોકો ચિંતિત છે. બેઠકમાં નક્કી કરવામાં આવેલી કમિટી મુખ્યમંત્રી અને કાયદામંત્રીને મળશે. 182 ધારાસભ્યોને મળી તેમનું સમર્થન મેળવશે. 26 સાંસદોનું પણ સમર્થન મેળવવામાં આવશે, જેથી માંગને ગાંધીનગર લઈને દિલ્હી સુધી પહોંચાડી શકાય. સર્વ સમાજ દ્વારા યોજાયેલી ચિંતન શિબિરમાં રાજપૂત, આહીર, પાટીદાર, પ્રજાપતિ, આદિવાસી સમાજ સહિત વિવિધ 32 સમાજના અગ્રણીઓ હાજર રહ્યા હતા.
Advertisement