અમદાવાદઃ ગુજરાત હાઈકોર્ટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડિગ્રી સંબંધિત વિવાદને લઈને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની રિવ્યુ એપ્લિકેશનની સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સુનાવણી દરમિયાન, ગુજરાત યુનિવર્સિટીના જવાબમાં અરવિંદ કેજરીવાલના વકીલો વતી જવાબ દાખલ કરવામાં આવ્યો હતો. તેમાં અરવિંદ કેજરીવાલના વકીલોએ ગુજરાત યુનિવર્સિટીના જવાબ પર પોતાના જવાબો આપ્યા છે. હાઈકોર્ટના જસ્ટિસ બિરેન વૈષ્ણવે આ મહિનામાં અંતિમ સુનાવણીની તારીખ નક્કી કરવા કહ્યું અને વધુ સુનાવણી મુલતવી રાખી હતી.
Advertisement
Advertisement
આ મહિને અંતિમ સુનાવણી હાથ ધરાશે
હાઈકોર્ટમાં કેજરીવાલની રિવ્યુ અરજી પર ગુજરાત યુનિવર્સિટીને નોટિસ ફટકારવામાં આવી હતી. આ અંગે યુનિવર્સિટીએ પોતાનો પક્ષ રજૂ કરી જવાબ દાખલ કર્યો હતો. અરવિંદ કેજરીવાલના વકીલોએ યુનિવર્સીટી તરફથી જવાબનો જવાબ આપ્યો છે અને તેમની હકીકતો અને દલીલો રજૂ કરી છે. જસ્ટિસ બિરેન વૈષ્ણવે આ કેસની અંતિમ સુનાવણી આ મહિને કરવા કહ્યું છે. આ કેસની આગામી સુનાવણી 14 અથવા 21 જુલાઈએ થાય તેવી શક્યતા છે. હાઈકોર્ટ દ્વારા ટૂંક સમયમાં આ સુનાવણીની તારીખ નક્કી કરવામાં આવશે.
શું છે સમગ્ર મામલો?
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે તાજેતરમાં ગુજરાત હાઈકોર્ટના એક નિર્ણય પર રિવ્યુ અરજી દાખલ કરી હતી. હાઇકોર્ટે તે ચુકાદામાં સેન્ટ્રલ ઇન્ફર્મેશન કમિશન (CIC)ના 2016ના આદેશને રદ કર્યો હતો. તેમાં ગુજરાત યુનિવર્સિટીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડિગ્રી વિશે માહિતી આપવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો. હાઈકોર્ટે અરવિંદ કેજરીવાલને 25,000 રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. તેમની રિવ્યુ અરજીમાં અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની શૈક્ષણિક ડિગ્રી ગુજરાત યુનિવર્સિટીની વેબસાઈટ પર ઉપલબ્ધ નથી. અરવિંદ કેજરીવાલની રિવ્યુ અરજી સ્વીકારીને કોર્ટે સુનાવણી માટે 30 જૂનની તારીખ નક્કી કરી હતી.
અગાઉની સુનાવણીમાં યુનિવર્સિટી તરફથી હાજર રહેલા સોલિસિટર જનરલ (SG) તુષાર મહેતાએ દલીલ કરી હતી કે છુપાવવા માટે કંઈ નથી, તેથી યુનિવર્સિટીને માહિતી જાહેર કરવાની ફરજ પાડી શકાય નહીં.
Advertisement