ગુજરાતના દરિયાકાંઠે સંભવિત બિપરજોય ત્રાટકવાનો ખતરો તોળાઈ રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ચક્રવાતે ભયાનક સ્વરૂપ ધારણ કર્યું છે. તેને પગલે સૌરાષ્ટ્ર-કચ્છમાં એલર્ટ જાહેર કરી દેવાયું છે. મળતી માહિતી પ્રમાણે પશ્ચિમ રેલવેએ 95 ટ્રેનો રદ કરવાનો નિર્ણય લીધો છે. દરમિયાન એસટી નિગમે પણ ઘણી બસો રદ કરી દીધી છે. આગામી બે દિવસ સુધી ભારે પવન સાથે વરસાદની શક્યતાને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારે વાવાઝોડાની અસરને ધ્યાને રાખીને એસટી ડિવિઝન દ્વારા એક્સપ્રેસ બસોના રુટોને કેન્સલ કરી દેવામાં આવ્યા છે. આગામી બે દિવસ ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ પડવાની તેમજ ચક્રવાતની સંભાવના જોતા આ નિર્ણય લેવામાં આવ્યો છે.
Advertisement
Advertisement
જામનગર એસટી ડેપોએ 60 રુટ રદ કર્યા
બિપરજોય વાવાઝોડાની અસરને પગલે પોરબંદર એસટી ડેપોના તમામ રુટ બંધ કરી દેવાયા છે તથા જામનગર એસટી ડેપો પરથી ઉપડતી એક્સપ્રેસ બસના 44 રુટ તેમજ અન્ય 16 રુટ સહિત કુલ 60 રુટ કેન્સલ કરી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત ખંભાળિયા ડેપો ઉપર થી ઉપડતી 67 એસટી બસોના રૂટ સંભવિત વાવાઝોડા ના પગલે રદ કરી દેવામાં આવ્યા છે. જામનગર જિલ્લાના અન્ય પાંચ ડેપો પરથી ઉપડતી માંગરોળ, વેરાવળ, પોરબંદર સહિતના બસોના રૂટો પણ કેન્સલ કરી દેવામાં આવ્યા છે, અને એસટી બસોને પણ એસ.ટી. ડિવિઝનમાં સલામત રીતે રાખવામાં આવી રહી છે.
પોરબંદર એસટી ડેપોના તમામ રૂટ કેન્સલ
ચક્રવાત બિપરજોય હાલ પોરબંદરથી 290 કિલોમીટર દૂર છે ત્યારે પોરબંદર એસટી ડેપોના તમામ રૂટ બંધ કરી દેવામાં આવ્યા છે. આ સાથે જ વિભાગીય કચેરી જૂનાગઢની સૂચના બાદ હાલમાં અચોક્કસ મુદ્દત સુધી નવી સૂચના ના મળે ત્યાં સુધી પોરબંદર એસટી ડેપોના તમામ રૂટ બંધ રહેશે. આ ઉપરાંત ભારતીય રેલવે દ્વારા પણ પોરબંદર જતી 44 પોરબંદર રેલવે સ્ટેશનની ઉપડતી તમામ ટ્રેનો પણ રદ્દ કરી દીધી છે. પોરબંદરના રેલ્વે સ્ટેશનથી ઉપડતી પોરબંદર- સિકદ્રાબાદ- પોરબંદર, પોરબંદર- રાજકોટ- પોરબંદર, પોરબંદર- મુંબઈ- પોરબંદર, પોરબંદર-ભાણવડ- કાનાલુશ, પોરબંદર-મુઝફ્ફર, પોરબંદર-દિલ્હી, પોરબંદર-કોચવેલી, દિલ્હી -પોરબંદર, પોરબંદર-સોમનાથ સહિતની અનેક ટ્રેનો આગામી 17મી જૂન સુધી રદ કરી દેવામાં આવી છે.
Advertisement