અમદાવાદના વિવિધ વિસ્તારમાં મ્યુનિસિપલ હસ્તકના 24 સ્માનગૃહ આવેલા છે. આ સ્માશનગૃહ પૈકી સીએનજી ગેસથી ચાલતી ભઠ્ઠીઓનું ટેકનિકલ પરીક્ષણ કરવાનું હોઈ 10 સ્મશાનગૃહ અલગ અલગ તારીખે 8થી 17 મે દરમિયાન રાત્રિના 12થી બીજા દિવસે સાંજના પાંચ કલાક સુધી બંધ રખાશે.
મ્યુનિસિપલ હસ્તક આવેલા સ્મશાનગૃહ પૈકી એલિસબ્રિજ અને જમાલપુર સ્મશાનગૃહ 8મેના રોજ, વાસણા તથા વેજલપુર સ્મશાનગૃહ 9મેના રોજ, વાસણા તથા વેજલપુર સ્મશાનગૃહ 10 મેના રોજ, વાડજ તથા દુધેશ્વર સ્મશાનગૃહ 10 મેના રોજ સીએનજી ભઠ્ઠીનું ટેકનિકલ પરીક્ષણ હાથ ધરાશે.
11 મેના રોજ થલતેજ તથા સરખેજ સ્મશાનગૃહ, 12 મેના રોજ હાટકેશ્વર તેમજ ઈસનપુર સ્મશાનગૃહ, ઉપરાંત 13 મેના રોજ ચામુંડા તથા લીલાનગર સ્મશાનગૃહની ભઠ્ઠીઓનું ટેકનિકલ પરીક્ષણ કરાશે.
15 મેના રોજ નરોડા સ્મશાનગૃહ, 16 મેના રોજ સાબરમતી સ્મશાનગૃહ તેમજ 17 મેના રોજ ગોતા સ્મશાનગૃહની સીએનજી ભઠ્ઠીનું ટેકનિકલ પરીક્ષણ કરાશે.
Advertisement