સુરેન્દ્રનગરના ચોટીલા ચામુંડા માતાજીના મંદિરે રોપ-વે બનાવવાનો માર્ગ હવે મોકળો થયો છે. આજે ગુજરાત હાઈકોર્ટે રોપ-વે બનાવવા પર રોક લગાવવાની માંગ કરતી અરજીને ફગાવી દીધી છે. આ સાથે જ હાઈકોર્ટે કહ્યું હતું કે આ પ્રોજેક્ટ અટકશે નહીં.
પ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલા ડુંગર પર બિરાજમાન ચામુંડા માતાજીના મંદિરે રોપ-વે બનાવવાની વિચારણા લાંબા સમયથી ચાલી રહી છે. આ માટે મંજૂરી પણ આપી દેવામાં આવી હતી.
જો કે મંદિરના ટ્રસ્ટે હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી અને આ પ્રોજેકટને લઈને સવાલ ઉઠાવ્યા હતા અને કહ્યું હતું કે આઉટડેટેડ ટેક્નોલોજીવાળા રોપ-વે હશે તો મોરબી જેવી દુર્ઘટના પણ બનવાની સંભાવના રહેશે. રોપ-વે બનાવવાનું કાર્ય જેને સોંપવામાં આવ્યું છે તેને આ પ્રકારનો કોઈ અનુભવ નથી. જો કે હાઈકોર્ટે આ અરજીને ફગાવી દીધી છે.
Advertisement