વ્યક્તિ પોતાના જીવનથકી બીજાના કામમાં મદદરૂપ બને તે સાચું માનવજીવન છે. અંગદાન મહાદાન છે અમે તેનું ઋણ મહુલું છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં છેલ્લા ત્રણ દિવસમાં ત્રણ અંગદાન થયા છે. આ ત્રણ અંગદાન માં મળેલા નવ અંગોએ નવ જરૂરિયાતમંદોને નવજીવન પ્રદાન કર્યું છે.
કહેવાય છે કે , જીવન અને મરણ એ પરમ કૃપાળુ પરમાત્માના હાથમાં છે. પરંતુ આ તબીબો પોતાની કર્તવ્ય નિષ્ઠા બજાવીને કોઈક જરૂરિયાતમંદને નવજીવન બક્ષી શકે છે તેનું આ આદર્શ ઉદાહરણરૂપ કાર્ય કરી રહ્યા છે.
સિવિલ હોસ્પિટલના તબિબોએ નક્કી જ કરી લીધું છે કે ગુજરાતમાં કોઈપણ જીવંત વ્યક્તિને અંગોનું દાન કરવું પડે નહીં અને બ્રેઇન્ડેડ થતા દર્દીના પરિવારજનોના અંગદાનના નિર્ણયથી કોઈકને નવું જીવન મળી શકે . તેવા શુભ આશાય સાથે સિવિલ હોસ્પિટલના અંગદાનની ટીમ રાઉન્ડ ધ ક્લોક અંગદાનનો સેવાયજ્ઞ આદર્યો છે અને તેનું સારું પરિણામ પણ જોવા મળી રહ્યું છે.
ઉનાળાની ઋતુમાં ૩૬ થી ૩૮ ડિગ્રી તાપમાન વચ્ચે પણ ના દિવસ જોયું ના રાત, ક્યાં કોઈક વ્યક્તિના અંગોના દાનથી કોઈક પીડિતના જીવનમાં ગુંજારવ પથરાય તેવા પ્રયાસો હાથ ધરીને ઉત્તમ કાર્ય કરી રહ્યા છે.
૭ મે ના રોજ રાજકોટના ૨૫ વર્ષના મનોજભાઈ અકસ્માત થતાં માથાના ભાગમાં ગંભીર ઈજા થઈ હતી. જેના પરિણામે તેમને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સઘન સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. ડૉક્ટરની ટિમ દ્વારા ઘણી મહેનત કરવામાં આવી પણ મનોજભાઈ બચી શક્યા નહી અને તેમને બ્રેઇન્ડેડ જાહેર કરાયા. અથાગ પ્રયત્નો બ્રેઇન્ડેડબાદ પણ તેમને બચાવી શકાયા નહીં . સિવિલ હોસ્પિટલના અંગદાનની ટીમે મનોજભાઈના પરિવારજનોને અંગદાન અંગેની સમજ આપી અને પરિવારજનોએ પણ આ સમાજસેવાના સત્કાર્યમાં જોડાવા માટે સહભાગી બન્યા હતા અને મનોજ ભાઈની બે કિડની અને લીવર અંગદાન કરીને મનોજ ભાઈએ ત્રણ લોકોના જીવનમાં કાયમી યાદોને જીવંત કરી હતી. છેલ્લાં ત્રણ દિવસમાં ત્રણ અંગદાનથી નવ લોકોને નવજીવન મળ્યું છે અને તે સાથે અત્યાર સુધીમાં સિવિલમાં 107 અંગદાન કરવામાં આવ્યું હતું.
સિવિલ ડોક્ટર રાકેશ જોષી એ જણાવ્યું કે, પરિવારજનોની માનવીય સંવેદના અને સિવિલ હોસ્પિટલના તબીબોના પ્રયાસોથી આજે અમદાવાદમાં અંગદાનની સરવાણી વહી રહી છે. છેલ્લા ત્રણ દિવસમાં સિવિલ હોસ્પિટલની અંગદાનની ટીમ અને અંગદાતા પરિવારજનોનના સંયુક્ત પ્રયાસોથી નવ લોકોને નવજીવન આપવામાં સફળતા મળી છે..
આ યજ્ઞ છે અંગદાનનો , આ યજ્ઞ છે મદદ અને સેવાભાવનો, અમારા અંગદાનના સેવાયજ્ઞના પરિણામે અત્યાર સુધીમાં ૧૦૭ અમર અંગદાતાઓના અંગદાનથી ૩૨૨ જરૂરિયાત મંદોને નવજીવન મળ્યું છે. અમારો આ અંગદાન નો સેવાયજ્ઞ અવિરત અને ચાલતો રહેશે.
Advertisement