અરબી સમુદ્રમાં “ખૂબ જ ગંભીર ચક્રવાત” તરીકે પરિવર્તિત થઈ રહેલું ચક્રવાત બિપરજોય ઉત્તર તરફ આગળ વધી રહ્યું છે, ભારતીય હવામાન વિભાગ (IMD)ના બુલેટિનમાં જણાવ્યા મુજબ શુક્રવારથી ગુજરાતમાં ભારે પવન અને વાવાઝોડાના સ્વરૂપમાં તેની અસર જોવા મળે તેવી શક્યતા છે. ગોવાથી દક્ષિણપશ્ચિમમાં લગભગ 860 કિમી દૂર સ્થિત બિપરજોય ઉત્તર તરફ આગળ વધતાં વધુ તીવ્ર થવાની શક્યતા છે. બુલેટિન મુજબ ચક્રવાત ભારતમાં કોઈ સ્થળે ટકરાય કરે તેવી શક્યતા નથી અને તે અરબી દ્વીપકલ્પ તરફ આગળ વધે તેવી શક્યતા છે.
Advertisement
Advertisement
આગામી 12 કલાકમાં બિપરજોય ચક્રવાતી તોફાન વધુ ઉગ્ર બનશે. ઝડપથી દક્ષિણ-પશ્ચિમ તરફ આગળ વધી રહેલું ચક્રવાતી તોફાન ગઇકાલે મધરાતે ગોવાથી પશ્ચિમ અને દક્ષિણ પશ્ચિમે 870 કિલોમીટર તેમજ પોરબંદરથી દક્ષિણ અને દક્ષિણ પશ્ચિમ દિશાએ 970 કિલોમીટર અંતરે પહોંચ્યું હતું. સાત કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી આગળ વધી રહેલું આ ચક્રવાતી વાવાઝોડું આગામી ત્રણ દિવસમાં ઉત્તર અને ઉત્તર પશ્ચિમ દિશા તરફ આગળ વધે તેવી સંભાવના છે.
વાવાઝોડાની દિશા અને ગતિને ધ્યાનમાં લઇને ગુજરાતમાં તમામ બંદરો ઉપર બે નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે.
દરમિયાન હવામાન વિભાગે 10 થી 12મી જૂન દરમિયાન સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયાકિનારા વિસ્તારોમાં કેટલાંક સ્થળોએ ગાજવીજ સાથે હળવો થી મધ્યમ વરસાદ થવાની સંભાવના દર્શાવી છે. એવી જ રીતે આ સમયગાળામાં પવનની ગતિ 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાક રહેવાની અને અને કયારેક તે વધીને 50 કિલોમીટર પ્રતિકલાક થવાની સંભાવના દર્શાવી છે.
વાવાઝોડાને કારણે હવામાનમાં ભારે પલટો આવશે અને આગામી ત્રણ-ચાર દિવસમાં 135-145 કિમી પ્રતિ કલાકથી 160 કિમી પ્રતિ કલાકની ઝડપ સુધી પવન ફૂંકાવાની શક્યતા છે. IMDએ આગામી ત્રણથી ચાર દિવસ સુધી આંદામાન અને નિકોબાર ટાપુ, કેરળ, દક્ષિણ આંતરિક કર્ણાટક, મણિપુર, મિઝોરમ, આસામ, મેઘાલય અને અરુણાચલ પ્રદેશમાં ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે દક્ષિણ પશ્ચિમી રાજ્યોમાં પણ આગામી પાંચ દિવસ સુધી ભારે પવનની ચેતવણી પણ જારી કરી છે. હવામાન વિભાગે માછીમારોને દરિયામાં ન જવાની ચેતવણી આપી છે.
Advertisement