સૌરાષ્ટ્રમાં ફરી એક વખત ભૂકંપના આંચકા અનુભવાયા છે. આજે વહેલી સવારે ભાવનગર જિલ્લામાં ભૂકંપનો હળવો આંચકો અનુભવાયો હતો. મળતી માહિતી મુજબ ભૂકંપનો આંચકો વહેલી સવારે 4 વાગે અનુભવાયો હતો. ભાવનગર સહિત ઘોઘા, તળાજા, પાલીતાણા તેમજ સિહોરમાં ભૂકંપના આ આંચકા અનુભવાયા હતા. જો કે ભૂકંપને લીધે જાનહાનિ કે નુકસાનના કોઈ સમાચાર નથી.
Advertisement
Advertisement
મળતી માહિતી પ્રમાણે આ ભૂકંપનું કેન્દ્ર સૌરાષ્ટ્રના પાલીતાણાથી 30 કિમી દૂર હતું. ભાવનગર સહિત ઘોઘા, તળાજા, પાલીતાણા તેમજ સિહોરમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપને કારણે લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો અને લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા.
સિસ્મોલોજી ડિપાર્ટમેન્ટ અનુસાર ભૂકંપના આંચકાની તીવ્રતા પર 3.5 રિક્ટર સ્કેલ નોંધાઈ હતી. ભૂકંપના આંચકા અનુભાવાતા લોકો ઊંઘમાંથી ઉઠી ઘરની બહાર દોડી આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે સૌરાષ્ટ્રમાં ઘણાં લાંબા સમય પછી ફરી એકવાર ભૂકંપનાં આંચકા અનુભવાયા હતા. તેને લીધે લોકોમાં ફફડાટની લાગણી પ્રસરી ગઈ હતી. પહેલી વખત 3.5ની તીવ્રતાનો આ આંચકો નોંધાયો છે. જે જમીનના પેટાળમાં હિલચાલના સંકેત દર્શાવે છે.
તાજેતરમાં કચ્છમાં નોંધાયો 4.5નો ભૂકંપ
અત્રે ઉલ્લેખનીય છે કે 1 સપ્ટેમ્બરે કચ્છમાં મોડી રાત્રે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. કચ્છના દુધઇમાં મોડી રાત્રે ભૂકંપના આંચકા અનુભવાતા લોકો ઘરની બહાર નીકળી ગયા હતા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.5 માપવામાં આવી હતી. આ ભૂકંપનું કેન્દ્ર દુધઈથી 15 કિમી દૂર નોંધાયું હતુ. જો કે ભૂકંપના કારણે કોઈ જાનહાનિ કે નુકસાનના અહેવાલ થયું ન હતું.
Advertisement