ભૂકંપ બાદ કચ્છ જિલ્લામાં પોર્ટ અને ઔદ્યોગિકીકરણના કારણે વાહનોના યાતા યાતમાં જબરો વધારો થયો, જેના કારણે અકસ્માતોનો આંક પણ ઊચકાયો ત્યારે કચ્છ જિલ્લાની સરકારી હોસ્પિટલોમાં દયનીય દશાથી લોકોને પૂરતી સુવિધાઓ ઉપલબ્ધ ન થવાથી અનેક લોકોના જીવનદીપ બુઝાયાના દાખલાઓ મોજૂદ છે.
કંડલા પોર્ટ, મુન્દ્રા પોર્ટ અને કચ્છમાં અન્ય રાજ્યોમાંથી આવતા વાહનોથી ભચાઉ મુખ્ય માર્ગ પર સતત યાતાયાત રહેતો હોઈ અવારનવાર ભયંકર અકસ્માતો થાય છે ત્યારે ભચાઉ શહેરમાં બ્લડ બેન્કની સુવિધા ઉપલબ્ધ ન હોવાથી અકસ્માતગ્રસ્ત લોકોને વહેલી તકે સારવાર અથવા ઓપરેશન કરવા માટે છેક એક કલાકનો રસ્તો કાપીને ગાંધીધામની બ્લડ બેન્કમાં લોહી લેવા જવું પડે છે જેનાથી ગાંધીધામની બ્લડ બેંક ઉપર ભારણ વધુ રહે છે જેથી ભચાઉમાં બ્લડ બેન્ક ઊભી કરવાની ખાસ જરુર છે, તેવી સ્થાનિક લોકોની માગણી છે.
સાથે સાથે રાપરમાં બ્લડ બેન્ક ઉપલબ્ધ છે પરંતુ ત્યાં પણ મહિનામાં એકાદ દિવસ બહારથી બ્લડનો પુરવઠો મળતો હોઈ બ્લડ બેન્કમાં પૂરતા પ્રમાણમાં લોહી ઉપલબ્ધ ન થવાથી લોકોને ધક્કા થાય છે.
Advertisement