રાજકોટઃ ગુજરાત ATSએ તાજેતરમાં અમદાવાદમાંથી અલ-કાયદા સાથે સંકળાયેલા લોકોની ધરપકડ કરી હતી. હવે ATSએ રાજકોટમાં મોટું ઓપરેશન હાથ ધર્યું છે. એટીએસે શહેરના સોનીબજારમાંથી કારીગર તરીકે કામ કરતા આતંકવાદી સંગઠનના ત્રણ શકમંદોની ધરપકડ કરી છે. તેમની પાસેથી ઘણા હથિયારો પણ મળી આવ્યા છે, આ લોકો ઘણા મહિનાઓથી અહીં કામ કરી રહ્યા હતા. રાજકોટમાં શંકાસ્પદ આતંકી પ્રવૃત્તિ ચાલી રહી હોવાની ગુજરાત એટીએસને છ મહિના અગાઉ માહિતી મળી હતી.
Advertisement
Advertisement
સોનીબજારમાંથી ત્રણ શકમંદોની ધરપકડ
રાજકોટમાંથી ઝડપાયેલા અલકાયદાના ત્રણ શંકાસ્પદ આતંકી છેલ્લાં છ મહિનાથી સોની બજારમાં કામ કરતા હતા. અમમ, અબ્દુલ શુકુર અને સૈફ નવાઝ આ ત્રણેય ગુજરાતમાં અલકાયદાનો પ્રચાર કરતા હતા અને અન્ય મુસ્લિમ કર્મચારીઓને ઉદ્દામવાદ તરફ વાળતા હતા. તેમની પાસેથી હથિયાર પણ કબજે કરાયું છે. શંકાસ્પદ આતંકવાદીઓ કટ્ટરપંથી છે.
ATSએ એક પિસ્તોલ અને 10 કારતુસ જપ્ત કર્યા
આ ત્રણેય આતંકી સંગઠનને ફંડિંગ અને સ્લીપર સેલને સપોર્ટ કરવા એક્ટિવ થયા હતા. હાલ તેઓ અહી કોને મળ્યા હતા, કુલ કેટલાં લોકોને મળ્યા હતા, શું કરતા હતા તે અંગેની તપાસ ચાલી રહી છે. ત્રણેય શખસ લોકોની ઉશ્કેરણી કરવાનું કામ કરતા હતા. તેમની પાસેથી એક પિસ્તોલ અને 10 કારતુસ મળી આવ્યા હતા. આ પિસ્તોલ લોકલ વ્યક્તિ પાસેથી ખરીદ્યું હોવાની માહિતી સામે આવી છે. તેમને હથિયાર આપનાર વ્યક્તિ કોણ હતી એ દિશામાં તપાસ હાથ ધરાઈ છે. આજે ત્રણેયને રાજકોટ કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કરવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે ગત મહિનામાં ગુજરાત એટીએસએ પોરબંદરમાં મોટું ઓપરેશન પાર પાડીને ચાર આતંકીને ઝડપ્યા હતા. ગુપ્ત માહિતીના આધારે વહેલી સવારે રેડ પાડી હતી. તેઓ ભાગી જવાની ફિરાકમાં હતા. ગુજરાત એટીએસએ પોરબંદરમાં સફળતાપૂર્વક આ ઓપરેશન પાર પાડ્યુ હતું. સુમેરા નામની મહિલાની સુરતથી અટકાયત કરવામાં આવી હતી.
Advertisement