અમદાવાદઃ ભાઈ – બહેનના પવિત્ર પ્રેમનો તહેવાર રક્ષાબંધન આ વખતે 30 ઓગસ્ટે ઉજવવામાં આવશે. બેંકોએ તે દિવસે જાહેર રજા રાખી છે. રક્ષાબંધનના પર્વ નિમિત્તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત AMTSએ મહિલા મુસાફરોને ખાસ ભેટ આપવાનો નિર્ણય લીધો છે. આ પવિત્ર તહેવારની ઉજવણી માટે પોતાના ભાઈઓને રાખડી બાંધવા જઈ રહેલી બહેનો આખો દિવસ AMTSમાં મફત મુસાફરી કરી શકશે. AMTSના ભાજપ શાસકે સતત બીજા વર્ષે રક્ષાબંધન નિમિત્તે મહિલા મુસાફરોને મફત મુસાફરીનો લાભ આપવાની જાહેરાત કરી છે. AMTS બસ સેવા શહેરના દરેક ખૂણે મુસાફરો માટે ઉપલબ્ધ છે.
Advertisement
Advertisement
એએમટીએસ શહેરની આસપાસના ગામોમાં પણ પહોંચે છે
હવે અમદાવાદ શહેરની આસપાસના ગામો જેવાં કે વિવેકાનંદનગર, વિનોબાભાવેનગર, નરોડા પાટિયા, બારેજા આંખની હોસ્પિટલ, આરોહી હોમ્સ, રાંચરડા, શીલજ, બોપલ, લીલાપુર, જાસપુર, કુંજડ, વાંચ, ગત્રાડ, ચૌસર, ડભોડા, લપકામણ માટે AMTS બસ દોડે છે. અમદાવાદ શહેરમાં ચાલતી AMTS બસસેવાનો 27 લાખથી વધુ. મુસાફરો દર વર્ષે સેવાનો લાભ લે છે.
બે લાખ મહિલા મુસાફરોને લાભ મળશે
AMTSના 4.27 લાખથી વધુ દૈનિક મુસાફરોમાંથી લગભગ બે લાખ મહિલા મુસાફરો છે, આ મહિલાઓને રક્ષાબંધન દરમિયાન મફત મુસાફરીનો લાભ મળશે. એએમટીએસના પ્રમુખ વલ્લભ પટેલના જણાવ્યા અનુસાર આજે મળેલી ટ્રાન્સપોર્ટ કમિટીની બેઠકમાં આ અંગેની દરખાસ્ત પસાર કરવામાં આવી છે.
રૂટ નંબર-401 મહિલા બસ સવારે વાસણાથી ચાંદખેડા સુધી દોડશે
રૂટ નંબર-401 વાસણાથી ચાંદખેડા સુધીનો છે. ચાંદખેડાથી સવારે 8.55 કલાકે મહિલા બસ ઉપડશે. જ્યારે મહિલાઓ માટેની વિશેષ બસ વાસણાથી સવારે 9.10 કલાકે દોડશે. તેવી જ રીતે ચાંદખેડાથી સાંજે 5.55 કલાકે અને વાસણાથી સાંજે 6 કલાકે મહિલાઓ માટે ખાસ બસ દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
Advertisement