કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે કચ્છ પહોંચ્યા હતા અને ચક્રવાત અસરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કર્યું હતું. આજે બપોરે 12 વાગે દિલ્હીથી સીધા કચ્છ પહોંચેલા શાહે અસરગ્રસ્ત વિસ્તારોની સમીક્ષા કરી હતી. તેમની સાથે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ હાજર રહ્યા હતા. અમિત શાહ હવાઈ નિરીક્ષણ બાદ ભુજ પરત ફર્યા હતા અને સ્થાનિક વહીવટીતંત્ર સાથે બેઠક યોજી હતી.
Advertisement
Advertisement
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે કચ્છમાં ચક્રવાત બિપરજોયથી પ્રભાવિત વિસ્તારોનું હવાઈ સર્વેક્ષણ કર્યું હતું. જે બાદ તેઓ માંડવી સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા અને પીડિતોને પણ મળ્યા હતા, આ દરમિયાન તેમની સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગુજરાતના આરોગ્ય મંત્રી હૃષિકેશ પટેલ પણ હાજર હતા.
ગૃહમંત્રી અમિત શાહે માંડવી નલીયા રોડ પર આવેલા કાઠડા ખાતેના આર્ય ફાર્મની મુલાકાત લીધી હતી. ત્યાં સ્થાનિક ખેડૂતો, કિસાન સંઘના આગેવાનો, ગામજનોને સાથે સંવાદ કરીને પાક નુકસાની વિગતો મેળવી હતી. ખેડૂતોએ દાડમ અને ખારેકના પાકને થયેલા નુકસાન અંગે ગૃહમંત્રીને માહિતી આપી હતી. ત્યારબાદ અમિત શાહે ભુજ કલેક્ટર કચેરી ખાતે સમીક્ષા બેઠક યોજી હતી અને બિપરજોય ચક્રવાત બાદની પરિસ્થિતિની સમીક્ષા કરી હતી..
અગાઉ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે ભારત સરકારના સંબંધિત અધિકારીઓ, ગુજરાત સરકારના અધિકારીઓ અને જિલ્લા કલેક્ટર સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા તમામ પ્રકારની મદદ પૂરી પાડવાની ખાતરી આપી હતી.
અમિત શાહ અમદાવાદ આવે તેવી શક્યતા
અમિત શાહ આજે અમદાવાદ આવે તેવી શક્યતા છે. આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી સાથે ટેલિફોન પર વાત કરી હતી અને સ્થિતિનો તાગ મેળવ્યો હતો. બિપરજોય ચક્રવાત દરમિયાન કેન્દ્ર સરકાર દ્વારા રાજ્યમાં લેવામાં આવેલા બચાવ અને રાહત પગલાંની સમીક્ષા કરવા માટે કેન્દ્રીય મંત્રીઓની એક ટીમ પણ રાજ્યમાં મોકલવામાં આવી છે.
Advertisement