અમદાવાદ: કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને રેલવે દ્વારા ચાંદલોડિયા વિસ્તારમાં નવનિર્મિત જગતપુર રેલવે ફ્લાયઓવરનું ઉદ્ઘાટન કર્યું હતું. આ ઉપરાંત તેમણે અમદાવાદમાં ન્યુ રાણીપ વિસ્તારમાં એક બગીચાનું પણ ઉદ્ઘાટન કર્યું હતું. આ તમામ કાર્યક્રમો બાદ અમિત શાહે જનસભાને સંબોધિત કરી હતી.
Advertisement
Advertisement
પીએમ મોદીએ દેશમાં આમૂલ પરિવર્તન કર્યું
અમિત શાહે જણાવ્યું હતું કે ભારતની સંસ્કૃતિ, પરંપરા અને વારસાને વિશ્વ સુધી પહોંચાડવાનું કામ વડા પ્રધાન નરેન્દ્રભાઈએ કર્યું છે. પીએમ મોદીએ છેલ્લાં નવ વર્ષમાં દેશમાં દરેક ક્ષેત્રે દિશાસૂચક નિર્ણયો અને લોકાભિમુખ કાર્યો થકી સૌને સાથે લઈને સર્વસમાવેશક વિકાસ થકી આમૂલ પરિવર્તન આણ્યું છે. અમિત શાહે ઉમેર્યું કે ગાંધીનગર લોકસભા વિસ્તારમાં કુલ રૂ. 14,000 કરોડનાં વિકાસકાર્યો પૂર્ણ કરવામાં આવ્યાં છે. આજે ગૃહમંત્રીએ અમદાવાદમાં 195 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ અને શિલાન્યાસ કર્યો હતો.
અમિત શાહ આજે CM સાથે મહત્વની બેઠક કરશે
આ ઉપરાંત આજે અમિત શાહ સીએમ ભૂપેન્દ્ર પટેલ સાથે પણ મુલાકાત કરવાના છે. આ મહત્વની બેઠક અમદાવાદના સર્કિટ હાઉસ ખાતે યોજાઈ છે. બપોરે 2.30 વાગ્યાની આસપાસ શરૂ થયેલી બેઠકમાં વિવિધ મહત્વના પ્રોજેક્ટ પર ચર્ચા હાથ ધરવામાં આવી હોવાનું મનાય છે. આ ખાસ બેઠકમાં ભાજપના નેતાઓની સાથે ઉચ્ચ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા છે.
અમિત શાહે પણ ભક્તો સાથે સવારે 4 વાગ્યે મંગળા આરતી કરી
આજે અમદાવાદમાં ભગવાન જગન્નાથની 146મી રથયાત્રાનો પ્રારંભ થયો છે. તે પહેલા આજે સવારે મંગળા આરતીમાં હજારો ભક્તોએ ભાગ લીધો હતો. સવારે 4 વાગ્યે જગન્નાથ મંદિરમાં મંગળા આરતીમાં ગૃહમંત્રી અમિત શાહ પણ પરિવાર સાથે પહોંચ્યા હતા. આ પ્રસંગે ગૃહમંત્રી અમિત શાહ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા સહિત ભાજપના નેતાઓ પણ હાજર રહ્યા હતા. ત્યારબાદ સવારે સાત વાગ્યે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ‘પહિંદ’ વિધિ કરીને રથયાત્રાને મંદિરેથી પ્રસ્થાન કરાવ્યું હતું.
Advertisement