અમદાવાદઃ ભારત અને કેનેડા વચ્ચે ચાલી રહેલા વિવાદ અને ખાલિસ્તાની આતંકવાદીઓ દ્વારા આપવામાં આવેલી ધમકીને પગલે આગામી ક્રિકેટ વર્લ્ડ કપ માટે દેશભરમાં ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. અમદાવાદમાં વર્લ્ડ કપની પાંચ મેચ રમાવાની છે તે પહેલા સુરક્ષા એજન્સીઓ એલર્ટ મોડ પર આવી ગઈ છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ 3 ડ્રોન દ્વારા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અને આસપાસના વિસ્તારોમાં પેટ્રોલિંગ કરશે.
Advertisement
Advertisement
આતંકવાદી હુમલાના ખતરાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પાંચેય મેચ દરમિયાન સ્ટેડિયમની અંદર, બહાર અને આસપાસ ત્રણ સ્તરીય સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવશે. ક્રાઈમ બ્રાન્ચને સ્ટેડિયમની અંદર અને બહાર બે સ્તરની સુરક્ષાની જવાબદારી સોંપવામાં આવી છે. ક્રાઈમ બ્રાંચના ડીસીપીએ કહ્યું કે મેચ પહેલા આતંકવાદી હુમલાની ધમકી આપવામાં આવી છે, તેને ગંભીરતાથી લેતા સ્ટેડિયમની અંદર અને બહાર ત્રણ સ્તરીય સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવશે.
સ્ટેડિયમની અંદર અને બહાર અને ટ્રાફિક સહિત રસ્તાઓ પર લગભગ ત્રણ હજાર પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ તૈનાત રહેશે. ખેલાડીઓ જ્યાં રોકાયા છે તે બે હોટલ સહિત અંદાજે 3500 પોલીસ કર્મચારીઓને તૈનાત કરવામાં આવશે.
ગુરપરવંત સિંહ પન્નુએ વીડિયોમાં શું આપી ધમકી?
પન્નુએ સોશિયલ મીડિયા પર ધમકી આપતા કહ્યું કે 5 ઓક્ટોબરે અમદાવાદના મોદી સ્ટેડિયમમાં ક્રિકેટ વર્લ્ડ કપ નહીં પરંતુ ટેરર વર્લ્ડ કપ શરૂ થશે. શીખ ફોર જસ્ટિસ ખાલિસ્તાનના ઝંડા સાથે અમદાવાદ પર હુમલો કરશે. અમે શહીદ નિજ્જરની હત્યાનો બદલો લેવાના છીએ. અમે તમારી બુલેટ સામે મતપત્રનો ઉપયોગ કરીશું. યાદ રહે, ક્રિકેટ વર્લ્ડ કપ નહીં પરંતુ ટેરર વર્લ્ડ કપ 5 ઓક્ટોબરથી શરૂ થશે.
Advertisement