અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લાં ત્રણ દિવસથી સતત વરસાદ પડી રહ્યો છે. અમદાવાદમાં પણ ભારે વરસાદ થઈ રહ્યો છે. દરમિયાન, અમદાવાદના મીઠાખળી વિસ્તારમાં એક જર્જરિત ઈમારત ધરાશાયી થવાની ઘટના સામે આવી છે, આ ઘટનામાં 4 લોકો ઘાયલ થયા છે. આ તમામને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પરંતુ કાટમાળ નીચે દબાઈ જવાથી એક વ્યક્તિનું મોત થયું છે, મૃતકની ઓળખ વિનોદભાઈ તરીકે થઈ છે.
Advertisement
Advertisement
ફાયર બ્રિગેડની પાંચ ગાડી ઘટનાસ્થળે હાજર
આ દુર્ઘટનાની માહિતી મળ્યા બાદ ફાયર બ્રિગેડની પાંચ ગાડી ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફાયર બ્રિગેડની ટીમે કાટમાળમાં ફસાયેલા લોકોને બહાર કાઢવાની કામગીરી હાથ ધરી હતી. ફાયર બ્રિગેડની ટીમે ઘટનાસ્થળે પહોંચતા જ સ્થાનિક લોકોની મદદથી એક બાળક સહિત ચાર લોકોને બહાર કાઢ્યા હતા.
મળતી માહિતી મુજબ, મીઠાખળી ગામમાં ત્રણ માળની ઇમારત ધરાશાયી થવાની માહિતી ફાયર કંટ્રોલ રૂમને મળતાં સવારે 7:03 વાગ્યે નવરંગપુરા ફાયર સ્ટેશનને રેસ્ક્યુ કોલ કરવામાં આવ્યો હતો. થોડી જ વારમાં ફાયર સ્ટેશનમાંથી ઇમરજન્સી ટેન્ડર વાહન કર્મચારીઓ સાથે ઘટનાસ્થળે રવાના થયું હતું. ઘટનાસ્થળે બિલ્ડિંગની અંદર કેટલાક લોકો ફસાયા હોવાની માહિતી મળતાં જ બચાવ કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું.
મૃતક અને ઘાયલોની ઓળખ થઈ
રિપોર્ટ અનુસાર, મૃતકની ઓળખ 60 વર્ષીય વિનોદભાઈ ભીખાભાઈ દાતણિયા તરીકે થઈ છે. જ્યારે ઘરમાંથી બચાવી લેવાયેલા લોકોની ઓળખ ગૌરવ દાતણિયા, કિશન દાતણિયા અને તનિષા દાતણિયા તરીકે થઈ છે. વહેલી સવારે બે ઈમરજન્સી રિસ્પોન્સ વાહનો, એક ઈમરજન્સી ટેન્ડર, એક મેજર ફાયર ફાઈટર અને એમ્બ્યુલન્સને મકાન ધરાશાયી થયાની માહિતી મળતાં ઘટનાસ્થળે રવાના કરવામાં આવ્યા હતા. ઘટનાસ્થળે ઘણા અધિકારીઓ પણ હાજર છે.
Advertisement