કોઇપણ કામમાં અનુભવ જેટલો વધુ તેટલુ જ કામ કરવામાં નિપુણતા વધુ હોય છે. શહેરના નવરંગપુરા વિસ્તારમાં રહેતા જીગ્નેશ ડબગર જે છેલ્લી ચાર પેઢીથી તબલા બનાવવામાં જોડાયેલ છે. જેઓ સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે, તબલા બનાવવાનું ચાર પેઢીથી કરીએ છીએ. તબલા બનાવવતા પહેલા તબલાને કઇ રીતે વગાડવામાં આવે છે. તબલામાં તાલ ક્યાં અને કેવી રીતે આવે છે. તે શીખવું ખૂબ જરૂરી છે.
Advertisement
Advertisement
મેં તબલા શિખવાની શરૂઆત નવ વર્ષની ઉમરે કરી,અને ચાર વર્ષ તબલાનું બેઝિક નોલેજ મેળવ્યું. તબલા કેવી રાતે વગાડવામાં આવે છે તે શિખ્યા બાદ તબલાને કવી રીતે બનાવવા આવે છે તે જાણવાની વધુ જીજ્ઞાશા થઇ. જોકે મારા દાદા અને પિતા તબલા બનાવવતા તેથી તેની બનાવટ શિખવાની શરૃઆત કરી. અને છેલ્લા ૨૨ વર્ષથી તબલા બનાવી રહ્યો છું.
મારા દાદા અને પિતા બન્ને કોલકત્તા અને બનારસ જઇને તબલા બનાવવાનું શીખ્યા હતા. જોકે તબલા બનાવવાનું અને તેમની બનાવટ હું તેમની પાસે થી શિખ્યો તેથી મારામાં પણ તેઓ જે શિખીને આવ્યા અને તેમણે જે અનુભવથી શીખ્યા તે બધુ જ મને શિખવ્યું હતું. હાલ સુધીમાં ઘણા તબલાના ખ્યાત નામ વ્યક્તિઓને તબલા બનાવી ને આપ્યા છે.
જેમાં પંડિત કુમાર બોઝ, ઉસ્તાદ ઝાકીર હુસેન સર જેવા જાણીતા લોકોને બનાવી આપ્યા છે. આ જાણીતા કાલાકારો સીસમના લાકડા માંથી હેન્ડમેડ તબલા વધુ પસંદ કરે છે અને તેમની પહેલી પસંદ છે. તબલાની બનાવટમાં મારા દાદા(ફકિરચંદ કિશોરદાસ ડબગર) એટલા એક્સપર્ટ હતા કે તેઓ તબલા પર પડતી થાપ સાંભળીને જાણી લેતા કે તેમાં શું ખામી છે.
તેથી મારા દાદા તેમની પાસે નાના ઓજારો અને ગોળી જેવી વસ્તુઓ પણ રાખતા. એક વખતે પંડિત શામતાપ્રસાદજી અમદાવાદમાં એક કાર્યક્રમમાં આવેલા ત્યારે મારા દાદા પણ ત્યાં ગયેલા ત્યારે પંડિત શામતાપ્રસાદજી કાર્યક્રમમાં તબલા વગાડવા માટે ચેક કરી રહ્યા હતા ત્યારે મારા દાદાએ તેમની પાસે રહેલ તબલામાં ખામી જોઇ અને તેમને ત્યાંજ તે તબલા પર ગોળી લગાવીને આપીને કહ્યુ કે હવે વગાડો તે બરાબર વાગશે.
કેવી રીતે બનાવાય છે તબલાં
- – તબલાની બનાવટમાં સૌથી મુખ્ય છે તેનું લાકડું, જે પહેલાના સમયમાં સીસમ અને બીયોના લાકડામાંથી તબલા બનાવવામાં આવતા હતા. હાલમાં લીમડા, ગોરસ આંબલી, બાવળ અને આંબાના લાકડામાંથી તબલા બનાવવામાં આવે છે. હાલમાં સૌથી મોંઘા લાકડાના તબલા સીસમ અને બીયોના ગણવામાં આવે છે.
- – તબલામાં અવાજ માટે ખાસ બકરાના ચામડાનો ઉપયોગ કરવામાં આવે છે.
- – આ સાથે તાલ મેળવવા માટે તેના પર શાહિ લગાવવામાં આવે તે ખાસ કાળા પથ્થરના પાવડરનો ઉપયોગ કરવામાં આવે છે. આ કાળો પથ્થર જે દરીયાકાંઠાના વિસ્તારમાંથી મળી રહે છે. આ સાથે આ પથ્થર ભાવનગરના દરિયાકાંઠે વધુ મળે છે. આ સાથે ઘણી વાર આ પાવડરમાં ઘઉં કે ચોખાનો લોટ પણ મિક્ષ કરવામાં આવે છે.
- – એક તબલાના સેટને બનાવતા લગભગ ૧૦ દિવસ જેટલો સમય લાગે છે.
Advertisement