અમદાવાદ: ગુજરાત હાઈકોર્ટે 4 ઓક્ટોબર, 2022ના રોજ ખેડા જિલ્લાના ઉંઢેલા ગામમાં મુસ્લિમ યુવકોને થાંભલા સાથે બાંધીને જાહેરમાં માર મારવાની ઘટનામાં ચાર પોલીસકર્મીઓને 14 દિવસની જેલની સજા ફટકારી છે. આ કેસમાં પોલીસ અત્યાચારનો ભોગ બનેલી એક મહિલા સહિત ચાર આરોપીઓએ ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી હતી. અરજદારોએ આક્ષેપ કર્યો હતો કે તેમના પર કોર્ટના તિરસ્કારનો કેસ નોંધવો જોઈએ કારણ કે પોલીસે તેમને જાહેરમાં માર મારીને સુપ્રીમ કોર્ટની માર્ગદર્શિકાનું ઉલ્લંઘન કર્યું છે.
Advertisement
Advertisement
આરોપી પોલીસકર્મીઓએ પીડિતોને વળતર આપવાની તૈયારી દર્શાવતા સમાધાનની ઓફર પણ કરી હતી. જો કે, પીડિતોએ આરોપીઓ દ્વારા કરવામાં આવેલી વળતરની ઓફરને એમ કહીને નકારી કાઢી હતી કે તેમને વળતર નહીં પણ ન્યાય જોઈએ છે. હાઈકોર્ટમાં 19 ઓક્ટોબરે સુનાવણી દરમિયાન આરોપીઓએ પોતાને સજા કરવાને બદલે આર્થિક દંડ કરવાની વિનંતી કરી હતી, જો કે તમામ તથ્યો અને કેસની ગંભીરતાને ધ્યાનમાં લઈને કોર્ટે આરોપીઓને 14 દિવસની જેલની સજા કરવાનો આદેશ કર્યો છે.
ઓક્ટોબર 2022માં ઉંઢેલા ગામમાં ગરબા દરમિયાન પથ્થરમારાની ઘટના બની હતી. આ પછી, પોલીસે મુસ્લિમ સમુદાયના કેટલાક લોકોની ધરપકડ કરી હતી. ફરિયાદ મુજબ, આ તમામ લોકોને લોકઅપમાં રાખવામાં આવ્યા હતા અને બીજા દિવસે તેમને ગામમાં લાવવામાં આવ્યા હતા જ્યાં પોલીસે તેમને વીજળીના થાંભલા પાસે ઉભા કરી દીધા હતા અને જાહેરમાં લાકડીઓથી માર માર્યો હતો. પીડિતોએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે જાહેરમાં તેમને માર મારતા પહેલા પોલીસે તેમને ઘરે માર માર્યો હતો અને પછી તેમને મસ્જિદ ચોક પાસે લાવી લોકોની સામે માર માર્યો હતો.
4 ઓક્ટોબર, 2022 ના રોજ, ખેડા જિલ્લાના ઉંઢેલા ગામમાં ગરબા દરમિયાન પથ્થરમારો કરવા બદલ પોલીસે કેટલાંક મુસ્લિમ યુવાનોની ધરપકડ કરી હતી, જેમાંથી ચારને ચાર રસ્તા પર થાંભલા સાથે બાંધીને માર મારવામાં આવ્યો હતો. આ મામલે ગુજરાતના ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ પોલીસકર્મીઓનો બચાવ કરતાં કહ્યું હતું કે, અસામાજિક તત્ત્વો ગમે તે સમુદાયના હોય તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
Advertisement