નવી દિલ્હીઃ ‘નોકરીના બદલામાં જમીન’ મામલે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ શુક્રવારે મોટી કાર્યવાહી હાથ ધરી છે. EDએ દિલ્હી, બિહાર અને યુપીમાં એકસાથે લગભગ 15 સ્થળોએ દરોડા પાડ્યા છે. આ દરોડા લાલૂ યાદવ અને તેમની નજીકના લોકોના સ્થળોએ પાડવામાં આવ્યા છે. આ અગાઉ કેન્દ્રીય તપાસ બ્યૂરો (CBI)ની ટીમે લાલૂ યાદવ અને રાબડી દેવીની આ કેસના સંદર્ભમાં તાજેતરમાં જ પૂછપરછ કરી હતી. EDની ટીમે પટણામાં રાષ્ટ્રીય જનતા દળ (RJD)ના પૂર્વ ધારાસભ્ય અબૂ દોજાનાના નિવાસસ્થાને પણ દરોડા પાડ્યા છે.
Advertisement
Advertisement
તેજસ્વી યાદવના નિવાસસ્થાન સહિત 15 સ્થળોએ EDના દરોડા
એન્ફોર્સમેન્ટ ડિરોક્ટોરેટ (ED)એ બિહારના ઉપમુખ્યમંત્રી તેજસ્વી યાદવના દિલ્હી સ્થિત નિવાસસ્થાને દરોડા પાડ્યા છે. આ મામલો ‘જમીનના બદલામાં નોકરી’ સાથે સંકળાયેલો છે. EDએ એકસાથે દિલ્હી, મુંબઈ અને પટણામાં લગભગ 15 સ્થળોએ દરોડા પાડ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે બે દિવસ પહેલા આ મામલે લાલૂ યાદવની પણ પૂછપરછ કરવામાં આવી હતી.
લાલૂ યાદવની પૂત્રીઓના ઘરે પણ EDની ટીમ પહોંચી
આ કેસમાં EDની ટીમ લાલૂ યાદવની ત્રણ પૂત્રીઓ હેમા, રાગિણી અને ચંદાના દિલ્હીમાં આવેલા ઘરે પણ પહોંચી ગઈ છે. બિહારના ઉપ મુખ્યમંત્રી અને લાલૂ પ્રસાદ યાદવના પુત્ર તેજસ્વી યાદવના ઘરે પણ EDની દરોડાની કાર્યવાહી ચાલી રહી છે.
14 વર્ષ પહેલાના કેસમાં કાર્યવાહી
જનતા દળ યુનાઈટેડના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજીવ રંજન ઉર્ફે લલનસિંહની ફરિયાદ પર આ કેસ શરૂ થયો હતો. 14 વર્ષ પહેલાના આ કેસમાં લાલૂ યાદવ અને તેમના પરિવારે કથિત રૂપે જમીનના બદલામાં સાત લોકોને નોકરી અપાવી હતી. લાલૂ યાદવ પર આરોપ છે કે જ્યારે તેઓ રેલ મંત્રી હતા ત્યારે તેમણે તેમના ઘણાં પરિચિત લોકોને રેલવેમાં નોકરી અપાવી હતી. તેના બદલામાં તેમના પરિવારજનોને ઓછાં ભાવે જમીન મળી હતી. આમામલામાં આ દરોડા પાડવામાં આવ્યાછે.
Advertisement