નવી દિલ્હી: કોંગ્રેસને નવો અધ્યક્ષ મળી ગયો છે. કોંગ્રેસના સીનિયર નેતા મલ્લિકાર્જુન ખડગેએ અધ્યક્ષ પદની ચૂંટણી જીતી છે. ખડગે હવે કોંગ્રેસના નવા અધ્યક્ષ હશે. અધ્યક્ષ પદની ચૂંટણીમાં ખડગેએ 7897 મત મેળવ્યા હતા જ્યારે શશિ થરૂરને એક હજારની આસપાસ જ મત મળ્યા હતા. એજન્સી અનુસાર, 416 મત ફગાવી દેવામાં આવ્યા હતા. 24 વર્ષ પછી પ્રથમ વખત આવુ થયુ છે જ્યારે કોંગ્રેસને બિન ગાંધી પરિવારનો અધ્યક્ષ મળ્યો છે.
Advertisement
Advertisement
PM મોદીએ ખડગેને કોંગ્રેસ અધ્યક્ષ બનવા પર શુભેચ્છા પાઠવી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને શુભેચ્છા આપી હતી અને તેમના સફળ કાર્યકાળ માટે શુભકામનાઓ પાઠવી હતી.
દેશ માટે કોંગ્રેસના મજબૂત થવુ જરૂરી
શશિ થરૂરે કહ્યુ કે આપણે મલ્લિકાર્જુન ખડગેની જીતને કોંગ્રેસ પાર્ટીની જીત માનવી જોઇએ. આ ચૂંટણી કોઇ એક વ્યક્તિ સાથે સબંધિત નહતી. આ કોંગ્રેસ પાર્ટી વિશે હતી. હું હંમેશાથી પાર્ટીને મજબૂત કરવા માંગતો હતો કારણ કે દેશ માટે કોંગ્રેસને મજબૂત કરવુ ઘણુ જરૂરી છે.
થરૂરે કહ્યુ- ખડગે કરશે પાર્ટીનું માર્ગદર્શન
શશિ થરૂરે કહ્યુ કે હું મલ્લિકાર્જુન ખડગેના ઘરે ગયો અને તેમને જીતની શુભકામના પાઠવી હતી. તે પાર્ટીના એક સીનિયર નેતા છે અને તે હંમેશા પાર્ટીનું માર્ગદર્શન કરશે. હું ઘણો ખુશ છુ કારણ કે 1000થી વધારે પ્રતિનિધિઓએ મને મત આપ્યો. અમારા કાર્યકર્તા જ અમારી પાર્ટીનું અસલી ગૌરવ છે.
કોંગ્રેસે બંધારણની રક્ષા કરી
કોંગ્રેસે સતત લોકતંત્રને મજબૂત કર્યુ છે, બંધારણની રક્ષા કરી છે. હું સોનિયા ગાંધીનો આભાર વ્યક્ત કરૂ છુ, તેમણે પોતાના લોહીથી પાર્ટીને સીંચી છે. સરકાર દેશમાં નફરત ફેલાવી રહી છે, આખો દેશ રાહુલ ગાંધીના સંઘર્ષ સાથે જોડાયેલો રહ્યો છે.
આ પણ વાંચો: મલ્લિકાર્જુન ખડગે કોંગ્રેસના નવા અધ્યક્ષ, 137 વર્ષ જૂના પાર્ટીને 24 વર્ષ પછી મળ્યો પ્રથમ ગૈર-ગાંધી વડો
પાર્ટીમાં કોઇ પણ મોટુ કે નાનુ નથી
મલ્લિકાર્જુન ખડગેએ કહ્યુ કે આપણે બધાએ પાર્ટીના કાર્યકર્તાઓની જેમ કામ કરવુ જોઇએ. પાર્ટીમાં કોઇ પણ નાનુ કે મોટુ નથી. આપણે સાંપ્રદાયિકતાની આડમાં લોકતાંત્રિક સંસ્થાઓ પર હુમલો કરનારી ફાસીવાદી તાકાતો વિરૂદ્ધ એકજુટ થઇને લડવુ પડશે.
મલ્લિકાર્જુન ખડગે 26 ઓક્ટોબરે સંભાળશે કાર્યભાર
કોંગ્રેસ નેતા રણદીપ સુરજેવાલાએ કહ્યુ કે કોંગ્રેસના નવનિયુક્ત અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે 26 ઓક્ટોબરે પોતાનો કાર્યભાર સંભાળશે.
ખડગેના નેતૃત્વમાં પાર્ટી મજબૂત બનશે- અશોક ગહેલોત
રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોતે કહ્યુ કે આ ગર્વની ક્ષણ છે કે મલ્લિકાર્જુન ખડગે કોંગ્રેસ અધ્યક્ષ બન્યા છે. તે પાર્ટીના એક અનુભવી નેતા છે, તેમના નેતૃત્વમાં કોંગ્રેસ વધુ મજબૂત બનશે. આપણી પાર્ટી દેશમાં એકજુટ છે. સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીનું પુરુ સમર્થન તેમની સાથે રહેશે.
Advertisement