અમદાવાદ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસના ગુજરાતના પ્રવાસે છે. આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ જ્યારે અમદાવાદના પ્રવાસે હતા ત્યારે એક રિક્ષાવાળાને ત્યા તેની રિક્ષામાં બેસીને જમવા માટે ગયા હતા. હવે તે રિક્ષાવાળો વડાપ્રધાન મોદીની સભામાં ભાજપનો ખેસ અને ટોપી પહેરીને જોવા મળ્યો હતો. આ દ્રશ્ય જોઇને લોકો ચર્ચા કરી રહ્યા છે કે રિક્ષાવાળો આપનો છે કે ભાજપનો.
Advertisement
Advertisement
રિક્ષા ચાલકે કર્યા કેટલાક ખુલાસા
અમદાવાદના રિક્ષા ચાલક વિક્રમ દંતાણીએ આમ આદમી પાર્ટીને લઇને કેટલાક ચોકાવનારા ખુલાસા કર્યા છે. વિક્રમ દંતાણીએ કહ્યુ કે, હું ક્યારેય આમ આદમી પાર્ટીમાં જોડાયો નથી, મને કહેવામાં આવ્યુ હતુ કે તમે મને આમંત્રણ આપજો. તે પછી કેજરીવાલના કહેવા પ્રમાણે રિક્ષા ચાલકે તેમણે તેમના ઘરે જમવા માટે આમંત્રણ આપ્યુ હતુ અને કેજરીવાલ તેની જ રિક્ષામાં બેસીને જમવા માટે ગયા હતા. કેજરીવાલની સાથે ઇસુદાન ગઢવી અને આમ આદમી પાર્ટીના ગુજરાતના પ્રમુખ ગોપાલ ઇટાલિયા પણ હતા. આ દરમિયાન કેજરીવાલે પોલીસ સાથે પણ બોલાચાલી કરી હતી અને સુરક્ષા લેવાનો ઇનકાર કરી દીધો હતો.
અમદાવાદના રિક્ષા ચાલકે AECમાં યોજાયેલી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સભામાં પહોચીને કહ્યુ કે, હું તો ભાજપમાં પહેલાથી જ કામ કરૂ છુ. વિક્રમ દંતાણી સાથે ભાજપના કાર્યકરોએ તસવીરો ખેચાવી હતી અને સોશિયલ મીડિયા પર શેર કરી હતી.
Advertisement