ગાંધીનગર: ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022માં કોંગ્રેસે અત્યાર સુધીનું સૌથી ખરાબ પ્રદર્શન કર્યુ છે. 2017ની ચૂંટણીમાં પાર્ટીએ 77 બેઠક જીતી હતી પણ આ વખતે કોંગ્રેસે માત્ર 17 બેઠકો પર કબજો કર્યો છે. ગુજરાતમાં પાર્ટીની હાર બાદ વડગામમાંથી જીતેલા ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ કહ્યુ કે તેમણે દુખ છે કે ચૂંટણી દરમિયાન પાર્ટીએ મારો પુરો ઉપયોગ કર્યો નથી.
Advertisement
Advertisement
ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ જિગ્નેશ મેવાણીએ વડગામમાં ભાજપના મણિભાઇ વાઘેલા વિરૂદ્ધ મોરચો ખોલી દીધો છે, તેમણે કહ્યુ, “હું આ સમજી નથી શકતો કે જ્યારે કોંગ્રેસ પાસે મારો જેવો ચહેરો છે, જે લોકોની કલ્પનાને પકડી શકે છે, જેની વિશ્વસનીયતા છે, જે ભાજપ વિરોધી છે અને તેમના સારા અનુયાયી છે, તો તે રાજ્યભરમાં જનસભાને સંબોધિત કેમ નથી કરી શક્યા?, લોકો વચ્ચે દલિતોમાં ઉર્જા ભરવા માટે મારી પાસે જનસભા કરાવવી જોઇતી હતી.
જિગ્નેશ મેવાણીએ 2022ની વિધાનસભા ચૂંટણીમાં વડગામ બેઠક પરથી ભાજપના મણિભાઇ વાઘેલાને 4796 મતથી હરાવ્યા હતા. બનાસકાંઠા જિલ્લામાં નવ બેઠકમાંથી કોંગ્રેસને ચાર બેઠક અને ભાજપને ચાર બેઠક મળી છે જ્યારે એક બેઠક ધાનેરા પર અપક્ષ ઉમેદવારની જીત થઇ છે.
કોણ છે જિગ્નેશ મેવાણી?
જિગ્નેશ મેવાણી ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ અને વડગામ બેઠક પરથી જીતેલા ધારાસભ્ય છે. જિગ્નેશ મેવાણી 2009માં પ્રથમ વખત ત્યારે ચર્ચામાં આવ્યા હતા જ્યારે ભાજપ સરકાર પર તેમણે ગુજરાત એગ્રીકલ્ચર લેન્ડ સીલિંગ એક્ટ હેઠળ ભૂમિહીન દલિતોને જમીન ના ફાળવવાનો આરોપ લગાવ્યો હતો. જિગ્નેશ મેવાણીની સંસ્થા જન સંઘર્ષ મંચે એક સર્વે કર્યો હતો અને 2015 સુધી તે સક્રિય RTI એક્ટિવિસ્ટ બની ગયા હતા. મેવાણીનો રાજકીય ઉદય 2016માં ઉના શહેરમાં દલિતોને માર મારવાની ઘટના પછી થયો હતો. ઉના દલિત અત્યાચાર લડત સમિતીની રચનાથી લઇને 30 વિવિધ સંગઠનોને એક મંચ પર લાવવામાં જિગ્નેશ મેવાણીએ મહત્વની ભૂમિકા ભજવી હતી. મેવાણી રાષ્ટ્રીય સ્તરે દલિતોને ઉભરતો ચહેરો બની ગયા હતા. તે પછી તેઓ 2017માં વડગામ બેઠક પરથી અપક્ષ તરીકે ચૂંટણી લડ્યા હતા. કોંગ્રેસનું તેમણે સમર્થન હતુ અને તે ચૂંટણી જીતી ગયા હતા. 2022માં ફરી એક વખત કોંગ્રેસની ટિકિટ પર વડગામ બેઠક પરથી જિગ્નેશ મેવાણીનો વિજય થયો છે.
Advertisement