ભોપાલ: મધ્ય પ્રદેશમાં ભારતીય જનતા પાર્ટી (BJP)માં ભાવી મુખ્યમંત્રી માટે વર્તમાન મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ સિવાય કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાનું નામ ચર્ચામાં છે. સિંધિયા એકમાત્ર નેતા છે જે ભાજપમાં કેટલાક મહિના પહેલા કોંગ્રેસ છોડીને આવ્યા છે. આટલા ઓછા સમયમાં તેમનું નામ મુખ્યમંત્રી પદના રૂપમાં વારંવાર સામે આવી રહ્યુ છે, તેની પાછળ એક બે નહી પણ કેટલાક કારણ છે જે જ્યોતિરાદિત્ય સિંધિયાની રાજનીતિમાં દખલઅંદાજી અને પાવર સેન્ટરને દર્શાવે છે.
Advertisement
Advertisement
કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાની નારાજગીથી જ મધ્ય પ્રદેશમાં શિવરાજ સરકારને ફરી સત્તા સંભાળવા મળી હતી. આ વાત તો બધા જાણે છે પરંતુ આ વાતને જાણવી પણ જરૂરી છે કે જ્યોતિરાદિત્ય સિંધિયા મધ્ય પ્રદેશની રાજનીતિમાં તે ચહેરો છે જેમની નારાજગીથી કેટલાક નેતાઓનું નસીબ બદલાઇ ગયુ છે. રાજનીતિમાં જ્યોતિરાદિત્ય સિંધિયાને કોંગ્રેસમાં હંમેશા પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહે ટક્કર આપી છે પરંતુ ભારતીય જનતા પાર્ટીમાં મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ પછી જ્યોતિરાદિત્ય સિંધિયાનું નામ સૌથી ઉપર આવી રહ્યુ છે.
શિવરાજને હટાવવા ભાજપની મજબૂરી
કોંગ્રેસના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી સજ્જન સિંહ વર્મા અનુસાર મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ દરેક મોરચા પર ફેલ થયા છે, તેમણે હટાવવા ભાજપની મજબૂરી બની ગઇ છે. વર્ષ 2018માં જે ચહેરાને જનતાએ નકારી દીધો તેને ફરી 2023માં કેવી રીતે જનતા વચ્ચે લઇ જવામાં આવે? આ વાતને લઇને ભાજપમાં ચર્ચા ચાલી રહી છે. કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા સિવાય ગૃહમંત્રી નરોત્તમ મિશ્રા, ભાજપ પ્રદેશ અધ્યક્ષ વીડી શર્મા સિવાય પણ કેટલાક નામ છે પરંતુ વિધાનસભા ચૂંટણી પછી આ વખતે મુખ્યમંત્રી કમલનાથ જ બનશે.
ભારતીય જનતા પાર્ટી જ્યોતિરાદિત્ય સિંધિયાને ભવિષ્યમાં મધ્ય પ્રદેશની કમાન સોપીને એક તીરથી કેટલાક નિશાન પણ સાધી શકે છે. ઉદાહરણ માટે મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ પછી પાર્ટીમાં કેટલાક મોટા નામ મુખ્યમંત્રીના રૂપમાં સામે આવતા રહે છે પણ અંદરો અંદર એક બીજા વચ્ચે આંતરિક ખેચતાણ પણ ચાલી રહી છે. જ્યોતિરાદિત્ય સિંધિયા એક એવુ નામ છે જેને લઇને ભાજપના વિરોધી નેતાઓની નારાજગી ખતમ થઇ શકે છે.
વિરાસતમાં મળી છે રાજનીતિ
જ્યોતિરાદિત્ય સિંધિંયાને રાજનીતિ ભલે વિરાસતમાં મળી હોય પરંતુ તેમણે લોકપ્રિયતા મામલે કેટલાક દિગ્ગજ નેતાઓને પછાડ્યા છે. જ્યોતિરાદિત્ય સિંધિયા 15મી લોકસભામાં ગુનાથી સાંસદ ચૂંટાઇને આવ્યા હતા, તેમણે મનમોહન સરકારમાં વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પણ બનાવવામાં આવ્યા હતા. તે બાદ તે લોકસભાની ચૂંટણી હારી ગયા હતા પરંતુ ફરી એક વખત મધ્ય પ્રદેશમાં સત્તા પલટવાને કારણે જૂન 2020માં મધ્ય પ્રદેશથી રાજ્યસભા સાંસદ ચૂંટાયા હતા. તે વર્તમાનમાં કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી છે. જ્યોતિરાદિત્ય સિંધિયાને મધ્ય પ્રદેશના ભાવિ મુખ્યમંત્રીના રૂપમાં હંમેશા જોવામાં આવી રહ્યા છે.
Advertisement