ગુજરાતના પૂર્વ ગૃહમંત્રી અને દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીની કેટલાક દિવસ પહેલા ક્રાઇમ બ્રાંચે ધરપકડ કરી હતી અને તે બાદ કોર્ટે તેમના 7 દિવસના રિમાન્ડ મંજૂર કરી લીધા છે. હવે આ કેસમાં શંકરસિંહ વાઘેલા અને અર્જૂન મોઢવાડિયાને મહેસાણા કોર્ટમાં હાજર થવા માટે સમન્સ પાઠવવામાં આવ્યુ છે.
Advertisement
Advertisement
જાણકારી અનુસાર, દૂધસાગર ડેરીમાં ગેરરીતિને લઇને મહેસાણા કોર્ટમાં ચાલી રહેલા કેસમાં શંકરસિંહ વાઘેલા અને અર્જૂન મોઢવાડિયાને સાક્ષી તરીકે હાજર થવા માટે સમન્સ મોકલવામાં આવ્યુ છે. શંકર સિંહ વાઘેલા અને અર્જૂન મોઢવાડિયાએ વિપુલ ચૌધરીને NDDBના અધ્યક્ષ બનાવવા માટે ભલામણ પત્ર લખ્યો હતો. આ મામલે કોર્ટે વિશેષ સરકારી વકીલ વિજય બારોટની અરજીને કોર્ટે માન્ય રાખી હતી. કોર્ટે શંકરસિંહ વાઘેલા અને અર્જુન મોઢવાડિયાને 6 ઓક્ટોબરે કોર્ટમાં હાજર થવા સમન્સ પાઠવ્યું છે.
ઉલ્લેખનીય છે કે વિપુલ ચૌધરીએ મહારાષ્ટ્રમાં સાગરદાણ મોકલ્યુ હતુ તે સમયે શંકરસિંહ વાઘેલા અને અર્જુન મોઢવાડિયાએ ભલામણ પત્રો લખ્યા હતા.
Advertisement