વિશાલ મિસ્ત્રી, રાજપીપળા: નર્મદા જિલ્લાના 5 તાલુકા નાંદોદ, ડેડીયાપાડા, સાગબારા, ગરુડેશ્વર અને તિલકવાડામા આવેલી મોટા ભાગની આંગણવાડીઓ જર્જરિત અને જોખમી બની છે.નર્મદા જિલ્લામાં કુલ 146 જેટલી બાળ આંગણવાડી કેન્દ્રોને જર્જરિત ગણાવાઈ છે.ત્યારે મોટા ભાગની આંગણવાડીમા આવતા બાળકોને ક્યાં તો ખુલ્લામા ક્યાં તો ભાડાના મકાનોમા મજબૂરી વશ બેસાડવામાં આવે છે.એમાં પણ ભાડાના મકાનોના ભાડુઆતોને મહિનાઓથી ભાડું સુદ્ધાં ચૂકવાયું નથી ત્યારે ભાડે મકાન આપનાર કેટલાક મકાન માલિકો રહેમ રાહે આંગણવાડી કેન્દ્રો ચલાવવા દઈ રહ્યા છે.
Advertisement
Advertisement
ત્યારે એમ જરૂર કહેવાય કે સરકાર અને સરકારનું ICDS તંત્ર એટલું બધું નિષ્ક્રિય બની ચૂક્યું છે કે નાનાં ભૂલકાઓને પડી રહેલી હાલાકી પણ દેખાતી નથી? ગામે ગામની આંગણવાડીઓમા અવ્યવસ્થા છે તો ક્યાંક પાણી અને શૌચાલય નથી, તો ક્યાંક બારણા પણ તૂટી ગયા છે, તો ક્યાંક ફર્શના પથરા પણ ઉખડી ગયા છે, મચ્છરો અને ગંદકીના સામ્રાજ્ય વચ્ચે આ કુમળા બાળકોનું સ્વાસ્થ્ય જરૂર બગડી રહ્યું હશે.આ બાબત એસી ઓફિસમાં બેસી રહેલા અધિકારીઓને દેખાતી નહિ હોય?
નાંદોદ તાલુકાના સીસોદ્રા ગામે 3, લાછરસ ગામે 1, રાજપીપળા દક્ષિણ ફળિયામા 1, ચુનારવાડામા 1, ધમણાચા ગામે 2 અને બીજી કેટલીય આંગણવાડીઓના મકાનો અત્યંત જર્જરિત હાલતમા છે.આ મકાનો જોખમી હોવા છતાં 6 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને પરાણે બેસાડવામાં આવે છે.લાછરસ ગામની આંગણવાડી કેન્દ્રમા પીવાના પાણીની ટાંકીમા કાટ અને કચરો છે.વોટર પયુરિફાયર વર્ષો પહેલા ફિટ કરવામાં આવ્યું પણ ક્યારેય ચાલુ નથી કરાયું શૌચાલયમા પાણીનું કનેક્શન નથી.
આ પણ વાંચો: નર્મદા: 70 વર્ષના દાદી કાળી મજૂરી કરી મા- બાપ વિનાના 3 બાળકોનું પાલન પોષણ કરી રહ્યા છે
નાંદોદ તાલુકાના ધમણાચા ગામે તો આંગણવાડી કેન્દ્રના મકાનના બારી બારણા તૂટીને ગયા છે, છત પણ પડે તેવી સ્થિતિમા છે.તો ત્યારે બાળકોને ખુલ્લામા બેસાડવામાં આવે છે.બાળકો માટે જમવાનું નજીકમાં રહેતા રસોઈ કરનાર બહેન પોતાના ઘરે બનાવી લાવે છે.સરકારી તંત્ર જાણે હવે ખાનગી કંપનીઓના સહારે ચાલતું હોય એમ લાગે છે.કેટલીક આંગણવાડીના મકાનો ONGC “CRS” ફંડ માંથી બાંધી આપે છે તો શું હવે આંગણવાડી કેન્દ્રો પણ ખાનગી કંપનીઓના દાન પુણ્યથી ચાલશે?? એવા પ્રશ્નો ઉઠી રહ્યા છે.
Advertisement