નવી દિલ્હી: કોંગ્રેસ અધ્યક્ષ પદની ચૂંટણીને લઇને રાજકારણ ગરમાયુ છે. રાહુલ ગાંધી ચૂંટણી લડશે કે નહી લડે તેને લઇને તસવીર સ્પષ્ટ થઇ નથી. આ વચ્ચે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોતે પોતાના ધારાસભ્યોની બેઠક બોલાવી હતી જ્યા તેમણે સ્પષ્ટ સંકેત આપ્યા છે કે રાહુલ ગાંધીના ચૂંટણી ના લડવાની સ્થિતિમાં તે કોંગ્રેસ અધ્યક્ષ પદની ચૂંટણી લડશે.
Advertisement
Advertisement
રાહુલ ગાંધીને કોંગ્રેસના અધ્યક્ષ બનાવવાની માંગ થઇ રહી છે અને કેટલાક રાજ્યોએ તેમના પક્ષમાં પ્રસ્તાવ પણ પાસ કર્યો છે પરંતુ હજુ સુધી રાહુલ ગાંધી તરફથી અધ્યક્ષ પદ માટે યોજાઇ રહેલી ચૂંટણી પર કોઇ સ્પષ્ટ સંકેત મળ્યા નથી. જોકે, તાજેતરમાં રાહુલ ગાંધીએ કહ્યુ હતુ કે તેમના મનમાં કોઇ ભ્રમ નથી અને જે યોગ્ય હશે તે કરશે.
નેતૃત્વના નિર્ણયનું કરશે પાલન
મંગળવાર સાંજે કોંગ્રેસના ધારાસભ્યોની બેઠકમાં ગહેલોતે કહ્યુ કે તે પાર્ટીના એક વફાદાર સભ્ય છે અને નેતૃત્વ જે પણ નિર્ણય કરશે તેનું તે પાલન કરશે. અશોક ગહેલોતે કહ્યુ કે તે દિલ્હીમાં સોનિયા ગાંધીને મળશે અને રાહુલ ગાંધીને મળવા કેરળ જશે અને તેમણે અંતિમ વખત ચૂંટણી લડવા અને કોંગ્રેસ અધ્યક્ષના રૂપમાં પરત આવવા માટે મનાવવાનો પ્રયાસ કરશે. જો રાહુલ ગાંધીએ પોતાનું મન નથી બદલ્યુ તો તે કરશે જે પાર્ટી તેમને કરવા માટે કહેશે.
અશોક ગહેલોતે નોમિનેશન પત્ર દાખલ કરવાની સ્થિતિમાં તમામ ધારાસભ્યોને દિલ્હી આવવાનું આમંત્રણ પણ આપ્યુ છે. ઉમેદવારી પત્ર દાખલ કરવાની શરૂઆત 24 સપ્ટેમ્બર 2022થી થશે. સૂત્રો અનુસાર, ગહેલોત 26 સપ્ટેમ્બર પછી પોતાનું નોમિનેશન દાખલ કરી શકે છે.
કોચ્ચિમાં રાહુલ ગાંધીને અંતિમ વખત મળવાની પોતાની યોજનાનો ખુલાસો કરતા તેને બેઠકમાં કહ્યુ, “રાહુલ ગાંધી જો સહમત નથી થતો અને પાર્ટી મને કઇ કરવા માટે કહેશે તો મે ક્યારેય ના નથી કહ્યુ, જો મારે ફોર્મ ભરવાનું થયુ તો તમને બધાને ઉમેદવારી દાખલ કરવા માટે બોલાવીશ. ગહેલોતે ધારાસભ્યોને એમ પણ કહ્યુ કે તે રાજસ્થાનથી ક્યારેય દૂર નહી રહે.
Advertisement