પટણા: ભારતીય જનતા પાર્ટી (BJP)નું નિવેદન છે કે ભવિષ્યમાં પાર્ટીના દરવાજા નીતિશ કુમાર માટે બંધ છે. જેની પર નીતિશ કુમારે કહ્યુ કે આગળ ચૂંટણી યોજાશે તો દેખાશે કે આ બધા લોકો ખરાબ રીતે ચિંતિંત છે. નીતિશ કુમારે કહ્યુ કે તે 2020માં મુખ્યમંત્રી બનવા નહતા માંગતા પણ બળજબરી તેમણે પદ પર બેસાડવામાં આવ્યા. સાથે જ તેમણે કહ્યુ કે તે કોઇ પણ કિંમત પર હવે ભાજપ સાથે ગઠબંધન નહી કરે. બિહારના મુખ્યમંત્રીએ કહ્યુ કે તે હજુ પણ તમામ વિપક્ષી દળને એકજુટ કરવા માંગે છે, તેમાં તેમનો કોઇ વ્યક્તિગત સ્વાર્થ નથી.
Advertisement
Advertisement
નીતિશ કુમારે કહ્યુ, “અમે લોકો તો અટલજીને માનનારા છીએ, તેમણે કેટલુ સારૂ કામ કર્યુ. તે બાદ તો અમે તેમનો સાથ છોડી દીધો હતો, પછી બાદમાં અમારી પાછળ પડીને વર્ષ 2017માં અમને પોતાની સાથે ભેળવી લીધા. જોકે, તે બાદ અમને અનુભવ થઇ ગયો કે આ ખોટુ કર્યુ. તે બાદ 2020માં હું મુખ્યમંત્રી બનવા માંગતો નહતો, મે કહ્યુ હતુ કે તમારી બેઠક વધારે છે તો તમે પોતાનો મુખ્યમંત્રી બનાવો. સરકાર બન્યા બાદ અલગ જ રમત જોવા મળી. અમારી પાર્ટીના નેતા કેટલીક વખત આ મામલે કહેતા હતા.”
બિહારના મુખ્યમંત્રીએ કહ્યુ, “આ લોકો ભૂલી ગયા છે જ્યારે અમે સાથે હતા, ત્યારે લઘુમતીઓના વોટ તેમણે મળવાના શરૂ થઇ ગયા હતા. તેના દમ પર જ આ ઘણી સીટ જીતવામાં સફળ રહ્યા હતા, તે બાદ જ્યારે અમે તેમનાથી અલગ થયા ત્યારે તેમણે કેટલી બેઠક મળી હતી? અમે અટલજી અને અડવાણીજીના સમયમાં તેમની સાથે હતા, ત્યારે પાર્ટીનો માહોલ અલગ હતો. હવે તો આ લોકોએ પાર્ટીને પુરી રીતે બદલી નાખી છે. જુવો, છેલ્લા કેટલાક સમયથી દેશમાં શું બદલાઇ રહ્યુ છે.”
નીતિશ કુમારે કહ્યુ કે તે વિપક્ષી દળોની એકતા ઇચ્છે છે, તેમણે પોતાની માટે કઇ ના જોઇએ. નીતિશ કુમારે કહ્યુ, “મારો કોઇ અંગત સ્વાર્થ નથી, મારે કઇ બનવુ નથી. અમે તો બધા માટે કામ કરીએ છીએ, રાજ્યમાં 17 વર્ષથી કરી રહ્યા છીએ અને જ્યારે કેન્દ્રમાં હતા ત્યારે પણ કર્યુ. આ બધુ ભૂલી રહ્યા છે કે જ્યારે અટલજીની સરકાર હતી ત્યારે કેટલુ રેલ્વેનું કામ થયુ હતુ. હવે તો તમે આ બધી વસ્તુ ભૂલી જશો. રેલ્વેનું અલગ બજેટ જ ખતમ કરી નાખ્યુ છે. આ બધુ પોતાની રીતે વસ્તુને ચલાવે છે.”
ભાજપ સાથે ગઠબંધનના સવાલ પર નીતિશ કુમારે કહ્યુ, “સવાલ જ ઉભો થતો નથી, મરી જવુ કબુલ છે પરંતુ તેમની સાથે જવાનું અમને કબુલ નથી. આ બધાને જણાવી દેવા માંગીએ છીએ. અમે પહેલા આટલુ જનત કરીને ગઠબંધનમાં પોતાની સાથે લાવ્યા હતા પછી આવુ કહી રહ્યા છે.”
બિહારના દરભંગામાં ભાજપ પ્રદેશ કાર્યસમિતીની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો કે નીતિશ કુમારે PMની ઉદારતાનો ખોટો ઉપયોગ કર્યો. સાથે જ બેઠકમાં આગામી લોકસભા અને બિહાર વિધાનસભા ચૂંટણી માટે પાર્ટીએ રણનીતિ બેઠકમાં તૈયાર કરી હતી. તે સિવાય આ બેઠકમાં નીતિશ કુમારના ભવિષ્યમાં ભાજપ ક્યારેય પોતાની સાથે નહી લે તેનો પણ નિર્ણય લેવામાં આવ્યો હતો. નીતિશ કુમારની પાર્ટી JDUએ ગત વર્ષે ભાજપ સાથે ગઠબંધન તોડીને RJD, કોંગ્રેસ અને ડાબેરી પક્ષો સાથે મળીને નવી સરકાર બનાવી લીધી હતી. નીતિશ કુમારના ગઠબંધનથી અલગ થયા બાદથી ભાજપ તરફથી નીતિશ કુમાર પર સતત પ્રહાર કરવામાં આવી રહ્યા છે.
Advertisement