અમદાવાદ: અમદાવાદના ગોદરેજ ગાર્ડન સિટીમાં ઇડન ટાવરમાં આવેલા V બ્લોકમાં આગ લાગી હતી. બનાવની જાણ થતા જ ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે પહોચી હતી અને આગને કાબુમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, આગ લાગવા પાછળ મોટો ઘટસ્ફોટ થયો છે. પતિએ પત્નીની હત્યા કરીને પુરાવાનો નાશ કરવા ઘરમાં આગ લગાવી હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યુ છે.
Advertisement
Advertisement
ગોદરેજ ગાર્ડન સિટીમાં ઘરમાં આગ લાગતા ફાયર બ્રિગેડનો કાફલો ઘટનાસ્થળે પહોચ્યો હતો અને આગ પર કાબુ મેળવ્યો હતો. જોકે, આ ઘટનામાં સિક્યુરિટી ગાર્ડે નવો ખુલાસો કર્યો છે. સિક્યુરિટી ગાર્ડનું કહેવુ છે કે ઘરમાં આગ લાગી તે પહેલા પતિ-પત્ની વચ્ચે ઝઘડો થયો હતો અને બન્નેના શરીર પર ચાકુના નિશાન હતા. પતિ-પત્નીના ઝઘડાનો કરૂણ અંજામ આવ્યો હતો. પતિએ પત્નીની હત્યા કરી હતી અને પુરાવાનો નાશ કરવા માટે ઘરમાં આગ લગાવી હતી. ફાયરબ્રિગેડની ટીમ સમયસર ઘટનાસ્થળે પહોચી જતા મોટી જાનહાની અટકી હતી. આ ઘટનાને લઇને પોલીસે પણ વધુ તપાસ હાથ ધરી છે.
Advertisement