અમદાવાદ: મુસાફરોની સુવિધા અને તેમની માંગને પૂર્ણ કરવા માટે પશ્ચિમ રેલ્વેએ સૂરતના ઉધનાથી મેંગલુરૂ, અમદાવાદથી કરમાલી અને ઓખાથી નાહરલગુન વચ્ચે હોળી સ્પેશ્યલ ટ્રેન ચલાવવાનો નિર્ણય કર્યો છે. પશ્ચિમ રેલ્વેના મુખ્ય જનસંપર્ક અધિકારી સુમિત ઠાકુરે જણાવ્યુ કે આ ફેસ્ટિવલ સ્પેશ્યલ ટ્રેન વિશેષ ભાડા સાથે ચલાવવામાં આવશે.
Advertisement
Advertisement
ટ્રેન સંખ્યા 09525/09526 ઓખા-નાહરલગુન સ્પેશ્યલ ઓખાથી 7 માર્ચે રવાના થશે
ટ્રેન સંખ્યા 09526 ઓખા-નાહરલગુન સ્પેશ્યલ, મંગળવાર, 7 માર્ચ, 2023માં 22.00 વાગ્યે ઓખાથી રવાના થશે અને શુક્રવારે 16.00 વાગ્યે નાહરલગુન પહોચશે. આ રીતે ટ્રેન સંખ્યા 09526 નાહરલગુન- ઓખા સ્પેશ્યલ નાહરલગુનથી શનિવાર,11 માર્ચ, 2023માં 10.00 વાગ્યે પ્રસ્થાન કરશે અને મંગળવારે 3.35 વાગ્યો ઓખા પહોચશે.
આ ટ્રેન નડિયાદ, આણંદ, છાયાપુરી, ગોધરા, રતલામ, નાગદા, ઉજ્જૈન, મક્સી, શાજાપુર, બ્યાવરા, રાજગઢ, ઇટાવા, ગોવિંદપુરી, પ્રયાગરાજ, જ્ઞાનપુર રોડ, બનારસ, વારાણસી, ગાજીપુર સિટી, બલિયા, છપરા, હાજીપુર, શાહપુર પટોરી, બરૌની, બેગૂસરાય, ખગડિયા, નૌગછિયા, કટિહાર, બરસોઇ, કિશનગંજ, ન્યૂ જલપાઇગુડી, ન્યૂ કૂચ બિહાર, કોકરાઝાર, ન્યૂ બંગાઇગાંવ, બારપેટા રોડ, રંગિયા, ઉદલગુરી, ન્યૂ મિસામારી, રંગાપારા નોર્થ અને હરમુતી સ્ટેશન પર રોકાશે.
09412/09411 અમદાવાદ-કરમાલી સ્પેશ્યલ (વાયા વસઇ રોડ)ના બે ફેરા ચાલશે
ટ્રેન સંખ્યા 09412 અમદાવાદ-કરમાલી સુપરફાસ્ટ સ્પેશ્યલ અમદાવાદથી મંગળવાર, 7 માર્ચે 9.30 વાગ્યે પ્રસ્થાન કરશે અને આગળના દિવસે 4.25 વાગ્યે કરમાલી પહોચશે. આ રીતે ટ્રેન સંખ્યા 09411 કરમાલી-અમદાવાદ સ્પેશ્યલ કરમાલીથી બુધવાર, 8 માર્ચે 9.20 વાગ્યે પ્રસ્થાન કરશે અને આગળના દિવસે 7.00 વાગ્યે અમદાવાદ પહોચશે.
આ ટ્રેન બન્ને દિશામાં વડોદરા, સૂરત, વાપી, પાલઘર, વસઇ રોડ, પનવેલ, રોહા, માનગાંવ, ખેડ, ચિપલૂન, સાવરદા, અરાવલી રોડ, સંગમેશ્વર રોડ, રત્નાગિરી, આડવલી, વિલવડે, રાજાપુર રોડ, વૈભવવાડી રોડ, નંદગાંવ રોડ, કંકાવલી, સિંધુદુર્ગ, કુડાલ, સાવંતવાડી રોડ અને થિવિમ સ્ટેશન પર રોકાશે.
ટ્રેન સંખ્યા 09057/09058 ઉધના-મંગલુરૂ ફેસ્ટિવલ સ્પેશ્યલ (વાયા વસઇ રોડ)ના ચાર ફેરા ચાલશે
પશ્ચિમ રેલ્વે અનુસાર ટ્રેન સંખ્યા 09057 ઉધના-મંગલુરૂ સ્પેશ્યલ ઉધનાથી 20.00 વાગ્યે પ્રસ્થાન કરશે અને આગળના દિવસે 19.40 વાગ્યે મંગલુરૂ પહોચશે. આ ટ્રેન 1 અને 5 માર્ચ 2023માં ચલાવવામાં આવશે. આ રીતે ટ્રેન નંબર 09058 મંગલુરૂ-ઉધના સ્પેશ્યલ મંગલુરૂથી 21.10 વાગ્યે પ્રસ્થાન કરશે અને આગળના દિવસે 21.05 વાગ્યે ઉધના પહોચશે.
આ ટ્રેન 2 અને 6 માર્ચે ચાલશે. આ ટ્રેન બન્ને દિશામાં વલસાડ, વાપી, પાલઘર, વસઇ રોડ, પનવેલ, રોહા, માનગાંવ, ખેડ, ચિપલૂન, સર્વાદા, સંગમેશ્વર રોડ, રત્નાગિરી, રાજાપુર રોડ, વૈભવવાડી રોડ, કણકવલી, સિંધુદુર્ગ, કુડાલ, સાવંતવાડી રોડ, થિવિમ, કરમાલી, મડગાંવ, કાણાકોણ, કારવાર, અંકોલા, ગોકર્ણ રોડ, કુમ્તા, મુદરેશ્વર, ભટકલ, મૂકામ્બિકા રોડ બેંદુર, કુંડાપુરા, ઉડુપી, મુલ્કી અને સુરથકલ સ્ટેશન પર રોકાશે
Advertisement