હીરાસર હવાઈ મથકનું ઉદ્દઘાટન જુલાઈમાં શક્ય બનશે
Advertisement
Advertisement
રન વે, બ્રિજ, બોક્સ, ટર્મિનલ બિલ્ડિંગનું કાર્ય મોટાભાગે પૂર્ણ થઈ ચૂક્યું છે
સૌરાષ્ટ્રના પહેલા આંતરરાષ્ટ્રીય હવાઈ મથકના નિર્માણનું કાર્ય રાજકોટમાં પૂરજોરમાં ચાલી રહ્યું છે, જેનું ઉદ્દઘાટન જુલાઈમાં સંભવ છે. નાગરિક ઉડ્ડયન મંત્રાલય દ્વારા જુલાઈમાં ગ્રીનફિલ્ડ હવાઈ મથકના ઉદ્દઘાટન પ્રસંગે હીરાસર હવાઈ મથકના સત્તાવાર પ્રસ્તાવને રજૂ કરાયો હતો. નાગરિક ઉડ્ડયન મંત્રાલય દ્વારા સત્તાવાર પ્રસ્તાવ પ્રાપ્ત થયા બાદ અધિકારીઓની એક ટીમે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના કાર્યક્રમ અનુસાર જુલાઈ મહિનામાં તારીખ નક્કી કરવા દિલ્હીમાં પ્રધાનમંત્રી કાર્યાલયનો સંપર્ક કરશે.
હીરાસર આંતરરાષ્ટ્રીય હવાઈ મથકના ઉદ્દઘાટન બાદ એક ઐતિહાસિક પગલું ગણાશે.
નાગરિક ઉડ્ડયન અધિક્ષકની ટીમ એપ્રિલ મહિનામાં લાયન્સની પ્રક્રિયાને પૂર્ણ કરવા તરફ આગળ વધશે અને તે ટીમ રાજકોટ પહોંચશે. રન વે, બ્રિજ, બોક્સ, ટર્મિનલ બિલ્ડિંગનું કાર્ય મોટાભાગે પૂર્ણ થઈ ચૂક્યું છે. આઝાદીના અમૃત મહોત્સવ પ્રસંગે 15મી ઓગસ્ટ 2022ની આસપાસ હવાઈ મથકના ઉદ્દઘાટનની ઘોષણા કરાઈ હતી.
એરપોર્ટ ઓથોરિટ ઓફ ઈન્ડિયા (આઈએએ)ના સ્થાનિક અધિકારીઓની દિલ્હીના નાગરિક ઉડ્ડયન મંત્રાલય દ્વારા ઉદ્દઘાટન જુલાઈમાં થાય તેવું જણાવ્યું છે.
પ્રધાનમંત્રીના વિશેષ વિમાનના ઉતરણ બાદ સૌરાષ્ટ્ર્વાસીઓ માટે આ હવાઈ મથક ખૂલ્લું મૂકાશે.
Advertisement