જામનગર: વિરમગામના ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલનો જામનગર વિવાદાસ્પદ ભાષણ મામલે કોર્ટે ચુકાદો આપ્યો હતો. હાર્દિક પટેલનો પાંચ વર્ષ પછી નિર્દોષ છુટકારો થયો છે. 2017માં પાટીદાર આંદોલન દરમિયાન પૂર્વ પાસના નેતા હાર્દિક પટેલની જામનગરના ધૂળસિયામાં જાહેર સભા યોજાઇ હતીને લઇને તેની સામે ફરિયાદ નોંધવામાં આવી હતી. હાર્દિક પટેલે નિર્દોષ છુટ્યા પછી ન્યાયતંત્ર અને વકીલનો આભાર માન્યો હતો.
Advertisement
Advertisement
શું છે સમગ્ર ઘટના?
4 નવેમ્બર 2017માં પાટીદાર અનામત આંદોલન દરમિયાન હાર્દિક પટેલની આગેવાનીમાં જામનગરના ધૂળસિયામાં એક જાહેર સભા યોજાઇ હતી. શૈક્ષણિક હેતુથી આ સભાની મંજૂરી લેવામાં આવી હતી અને રાજકીય ભાષણ થતા ફરિયાદ નોંધવામાં આવી હતી અને હાર્દિક પટેલ સામે ફરિયાદ નોંધવામાં આવી હતી.
રાજકીય ભાષણ બદલ હાર્દિક પટેલ, પાસ કન્વીનર અંકિત ઘેડિયા સામે ગુનોં નાખલ કરવામાં આવ્યો હતો. જામનગરના ચોથા એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ એમ.ડી.નંદાણીની કોર્ટમાં ચુકાદો જાહેર કરાયો હતો. આ કેસમાં હાર્દિક પટેલના વકીલ દિનેશ વિરાણી અને રશિદ ખીરાનીની દલીલો ગ્રાહ્ય રાખી કોર્ટે ચુકાદો આપ્યો હતો.
અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં હાર્દિક પટેલ સામે ચાલે છે કેસ
જામનગર કોર્ટે ભલે હાર્દિક પટેલને નિર્દોષ જાહેર કર્યો હોય પણ તેની સામે અમદાવાદમાં પણ એક જૂના કેસને લઇને ફરિયાદ નોંધાયેલી છે. અમદાવાદના નિકોલમાં વર્ષ 2018માં હાર્દિક પટેલ સામે ફરિયાદ નોંધાઇ હતી.
વિરમગામ બેઠક પરથી જીત્યા હાર્દિક પટેલ
2017માં પાટીદાર આંદોલનના નેતા હાર્દિક પટેલને કોંગ્રેસે કાર્યકારી અધ્યક્ષ બનાવ્યા હતા. જોકે, તે પછી હાર્દિક પટેલે કોંગ્રેસ છોડી દીધી હતી અને ભાજપમાં જોડાયા હતા. 2022માં વિધાનસભા ચૂંટણીમાં ભાજપે હાર્દિક પટેલને વિરમગામ બેઠક પરથી ટિકિટ આપી હતી. હાર્દિક પટેલ આ બેઠક પરથી 51,555ની લીડ સાથે જીતી ગયા હતા. હાર્દિક પટેલે કોંગ્રેસના લાખા ભરવાડને હરાવ્યા હતા.
Advertisement