ગાંધીનગરઃ ગુજરાતમાં શિક્ષણનો મુદ્દો ફરી એક વખત વિધાનસભામાં ઉઠ્યો હતો. આમ આદમી પાર્ટીએ વિધાનસભા ચૂંટણી પહેલા રાજ્યમાં શિક્ષણ અને સ્કૂલોનો મુદ્દો ઉઠાવીને ગુજરાત સરકારને ઘેરવાની કોશિશ કરી હતી. એટલું જ નહીં આ મામલાને લીધે રાજકીય નિવેદનબાજી પણ ખૂબ થઈ હતી. હવે આ મુદ્દે વિધાનસભામાં પણ ચર્ચા થઈ છે. સરકારે બુધવારે પ્રશ્રકાળ દરમિયાન એક ધારાસભ્યના પ્રશ્રનો જવાબ આપતાં માન્યું હતું કે પ્રદેશના બે જિલ્લાની 54 સ્કૂલોમાં માત્ર એક જ શિક્ષકના ભરોસે શૈક્ષણિક કાર્ય ચાલી રહ્યું છે.
Advertisement
Advertisement
શિક્ષણમંત્રીએ લેખિતમાં આપ્યો જવાબ
ગુજરાતની ભૂપેન્દ્ર પટેલ સરકારે વિધાનસભામાં સ્વીકાર્યું કે દ્વારકા જિલ્લામાં 46 સ્કૂલ, જામનગર જિલ્લામાં 8 સ્કૂલ, કલ્યાણપૂર તાલુકામાં 16 સ્કૂલ, ખંભાળિયા અને ભાણવડ તાલુકામાં 12 સ્કૂલ હાલ માત્ર એક જ શિક્ષકના ભરોસે ચાલી રહી છે. ગુજરાત વિધાનસભામાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હેમંત આહીરના સવાલના જવાબમાં શિક્ષણ મંત્રીએ લેખિતમાં આ ચોંકાવનારો જવાબ આપ્યો હતો.
136 સ્કૂલોમાં પૂરતી સુવિધાઓ નથી
દરમિયાન, કોંગ્રેસ ધારાસભ્ય અર્જૂન મોઢવાડિયાના પ્રશ્રના જવાબમાં શિક્ષણ વિભાગે સ્વીકાર્યું કે પોરબંદર અને જૂનાગઢ જિલ્લાની સરકારી પ્રાથમિક શાળાઓમાં સુવિધાઓનો અભાવ છે. શિક્ષણ વિભાગે સ્વીકાર્યું કે જૂનાગઢ જિલ્લાની 127 સ્કૂલ, પોરબંદર જિલ્લાની 9 સ્કૂલોમાં ઓરડાંનો અભાવ છે. જ્યારે પોરબંદર જિલ્લાની 7 સ્કૂલોમાં વિજ કનેક્શન નથી અને જૂનાગઢ જિલ્લાની 54 સ્કૂલ અને પોરબંદર જિલ્લાની સાત સ્કૂલોમાં ચાર દીવાલ જ નથી.
Advertisement