આજે ગુજરાત કોંગ્રેસે એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી જેમા રાજ્ય સરકાર પર આકરા પ્રહાર કરવામાં આવ્યા હતા. ગુજરાત કોંગ્રેસ પ્રવક્તા પાર્થિવરાજ કઠવાડીયાએ દાવો કરતા કહ્યુ હતુ કે ગુજરાત રાજ્યમાં નોંધાયેલા બળાત્કાર અને સામુહિક બળાત્કારના ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા અલગ-અલગ આંકડાઓ રજૂ કરવામાં આવ્યા છે.
Advertisement
Advertisement
રાજ્ય સરકારના આંકડા પ્રમાણે ગુજરાતમાં વર્ષ 2020 અને 2021માં બાળાત્કારની 3796 ઘટના બની છે. જ્યારે કેન્દ્ર સરકારના આંકડા પ્રમાણે ગુજરાતમાં બે વર્ષમાં બળાત્કારની 1075 ઘટના બની છે. વિધાનસભામાં રજુ થયેલા આંકડા મુજબ રાજ્યમાં સામુહિક બળાત્કારની 61 ઘટના બની છે જ્યારે લોકસભામાં રજુ થયેલા આંકડા પ્રમાણે ગુજરાતમાં સામુહિક બળાત્કારની 35 ઘટનાઓ બની છે. બળાત્કારની ઘટનામાં 2721 નો અને સામુહિક બળાત્કારના કેસમાં 26 ઘટનાનો તફાવત છે.
ગત તારીખ 10 માર્ચ 2022ના રોજ કોંગ્રેસના ધારાસભ્યએ વિધાનસભામાં પૂછેલા પ્રશ્નના જવાબ પ્રમાણે રાજ્યમાં બે વર્ષમાં 3796 બળાત્કાર અને 61 સામુહિક બળાત્કારના બનાવો નોંધાયા હતા. આ કેસોમાં 203 આરોપીઓને પકડવાના બાકી હતા એમ જણાવ્યુ હતું. રાજ્યમાં દૈનિક 5 કરતા વધુ બળાત્કારના કેસ નોંધાયા છે. સૌથી વધુ 729 કેસ અમદાવાદમાં અને ત્યારબાદ 508 કેસ સુરત જિલ્લામાં નોંધાયા છે.
Advertisement