ગાંધીનગર: ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં દિગ્ગજોની પ્રતિષ્ઠાં દાવ પર લાગેલી છે. આ વખતે ઓછામાં ઓછા સાત ઉમેદવાર ચૂંટણી મેદાનમાં છે, જે પાંચ કે તેથી વધારે વધત ધારાસભ્ય રહી ચુક્યા છે. સત્તા પર રહેલી ભારતીય જનતા પાર્ટી (BJP)એ આવા પાંચ નેતાઓને વધુ એક કાર્યકાળ માટે મેદાનમાં ઉતારીને વિશ્વાસ વ્યક્ત કર્યો છે. જ્યારે એક નેતા ટિકિટ ના મળતા અપક્ષ ચૂંટણી લડી રહ્યા છે.
Advertisement
Advertisement
ભાજપ દ્વારા મેદાનમાં ઉતારવામાં આવેલા ઉમેદવારોમાં યોગેશ પટેલ (માંજલપુર બેઠક), પબુભા માણેક (દ્વારકા), કેશુ નકરાણી (ગારિયાધાર), પુરૂષોત્તમ સોલંકી (ભાવનગર ગ્રામ્ય) અને પંકજ દેસાઇ (નડિયાદ) સામેલ છે. આ સિવાય ભારતીય ટ્રાઇબલ પાર્ટી (બીટીપી)ના સંસ્થાપક છોટુ વસાવા અને ભાજપ દ્વારા ટિકિટથી વંચિત મધુશ્રીવાસ્તવ અપક્ષ ઉમેદવારના રૂપમાં ચૂંટણી લડી રહ્યા છે.
એક અને પાંચ ડિસેમ્બરે મતદાન
રાજકીય વિશ્લેષકોએ કહ્યુ કે આ નેતા દાયકાથી પાર્ટી કાર્યકર્તા અને સમર્થકો સાથે તાલમેલ સ્થાપિત કરવામાં સફળ રહ્યા છે, તેમનું કહેવુ છે કે જાતિગત સમીકરણ પણ તેમના પક્ષમાં છે પરંતુ તેના કરતા વધારે મહત્વપૂર્ણ તેમના નેતૃત્વનું ગુણ છે. ગુજરાતની 182 સભ્યની વિધાનસભા ચૂંટણી માટે એક ડિસેમ્બર અને પાંચ ડિસેમ્બરે મતદાન થશે અને મતગણતરી આઠ ડિસેમ્બરે કરવામાં આવશે.
આ દિગ્ગજ જીતી ચુક્યા છે પાંચથી વધુ વખત ચૂંટણી
યોગેશ પટેલ, છોટુ વસાવા અને પબુભા માણેક સાથ વખત વિધાનસભા ચૂંટણી જીત્યા છે અને આઠમા કાર્યકાળ માટે ચૂંટણી લડી રહ્યા છે. કનુ નાકરાણી અને મધુ શ્રીવાસ્તવ છ વખત ચૂંટણી જીત્યા છે અને સાતમી વખત જીતની આશા કરી રહ્યા છે. પંકજ દેસાઇ અને પુરૂષોત્તમ સોલંકી પાંચ વખત ધારાસભ્ય રહી ચુક્યા છે અને છઠ્ઠી વખત વિધાનસભા ચૂંટણીમાં જીત મેળવવા માંગે છે.
Advertisement