ગાંધીનગર: ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે પ્રથમ તબક્કા માટે પ્રચાર પડઘમ આજે સાંજે 5 વાગ્યે શાંત થશે. પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરે 89 બેઠકો પર યોજાશે.
Advertisement
Advertisement
સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં નેતાઓ અંતિમ વખતે મતદારોને લુભાવશે
સાંજે 5 વાગ્યે પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા નેતાઓ લોકોને લુભાવવાનો અંતિમ પ્રયાસ કરશે. ભાવનગરમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાનો રોડ શો યોજાશે જ્યારે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાની માંડવી અને ગાંધીધામમાં સભા ગજવશે. પરેશ રાવલ સાવરકુંડવામાં ચૂંટણી પ્રચારમાં ઝંપલાવશે જ્યારે અમિત શાહ મધ્ય ગુજરાતમાં જનસભાને સંબોધશે.
ભગવંત માનની સુરેન્દ્રનગર-બોટાદમાં સભા
પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન સુરેન્દ્રનગર-બોટાદમાં રોડ શો કરશે. જ્યારે કનૈયા કુમાર વડોદરા ગોરવા આઇટીઆઇ ચાર રસ્તા પાસે જાહેર સભાને સંબોધશે.
પ્રથમ તબક્કાનો અંતિમ પ્રચાર
ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે આજે પ્રથમ તબક્કાના ચૂંટણી પ્રચારનો અંતિમ દિવસ છે. સાંજે 5 વાગ્યે પ્રચાર પડઘમ શાંત થશે. 1 ડિસેમ્બરે સવારે 8 વાગ્યાથી 5 વાગ્યા સુધી 89 બેઠક માટે મતદાન થશે. પ્રથમ તબક્કાની ચૂંટણીમાં 788 ઉમેદવાર મેદાનમાં છે.
Advertisement