- ગુજરાત ભાજપના મહામંત્રીને કહ્યું હાર મળશે તો ચાલશે પણ તમને ટિકિટ નહિ મળે: હર્ષદ વસાવાનો આક્ષેપ
- હર્ષદ વસાવાએ કહ્યું હું 25 હજારની લીડથી જીતીશ, મનસુખ વસાવાએ કહ્યું એમની ડિપોઝિટ ડૂલ થશે.
- ગુજરાતની 27 આદીવાસી બેઠકો પર જેણે આદિવાસી ગૌરવ યાત્રા સફળ બનાવી એ હર્ષદ વસાવાનો બળવો
- અહીંયા ડુપ્લીકેટ ભાજપ છે જે ફક્ત રૂપિયા કમાવવા આવ્યા છે એમને અમારે ખુલ્લા પાડવાના છે: હર્ષદભાઈ વસાવા
વિશાલ મિસ્ત્રી રાજપીપળા: નર્મદા જિલ્લાની 148 નાંદોદ વિધાનસભા બેઠક માટે ગુજરાત ભાજપ આદિજાતિ મોર્ચા અધ્યક્ષ હર્ષદ વસાવાએ ભાજપ માંથી રાજીનામું આપી અપક્ષ ઉમેદવારી નોંધાવી છે.પોતાના સમર્થકોની જંગી રેલી સ્વરૂપે એમણે રાજપીપલા પ્રાંત અધિકારીને પોતાનું ઉમેદવારી પત્ર રજૂ કર્યું હતું.ગુજરાતની 27 આદીવાસી બેઠકો પર જેણે આદિવાસી ગૌરવ યાત્રા સફળ બનાવી એ હર્ષદ વસાવાનો પાર્ટીમાં બળવો કરતા હાલ તો ભાજપ ચિંતામાં મુકાયું છે.એમણે દાવો કર્યો છે કે હું 25 હજારની લીડથી ચૂંટણી જીતીશ.
Advertisement
Advertisement
આ તમામની વચ્ચે હર્ષદભાઈ વસાવા અને મનસુખભાઈ વસાવા સામ સામે આવી ગયા છે.ભાજપ સાંસદ મનસુખભાઈ વસાવાએ જણાવ્યું હતું કે હર્ષદભાઈ વસાવાની ડિપોઝિટ ડૂલ થઈ જશે.એમણે આક્ષેપ કર્યો હતો કે હર્ષદ વસાવા વર્ષોથી ભાજપના ઉમેદવારો હરાવવાનું જ કામ કરે છે.પક્ષ વિરોધી પ્રવૃતિ કરી છે એ સાખી નહિ લેવાય.હર્ષદ વસાવા સાથે જે પણ ભાજપના કાર્યકરો રહેશે તેઓની રાજકીય કારકિર્દી ખતમ થઇ જશે એવી ખુલ્લી ચીમકી પણ એમણે આપી હતી.તો હર્ષદભાઈ વસાવાએ જણાવ્યું હતું મનસુખભાઈ વસાવાને આક્ષેપ કરવાની ટેવ પડી ગઈ છે.
તો બીજી બાજુ હર્ષદભાઈ વસાવાએ જણાવ્યું હતું કે 2007 માં સ્થાનિક ભાજપ સંગઠને મને હરાવવા કામ કર્યું હતું, મને હરાવવા 35 લાખ રૂપિયા આપી ભાજપના જ એક કાર્યકરને અપક્ષ ઉમેદવારી કરાવી તે છતાં હું પાતળી સરસાઇથી જીત્યો.ત્યારથી જ મારી વિરૂદ્ધ કાવતરા રચાઈ રહ્યા છે.ભાજપને હરાવે એ ભાજપનો ઉમેદવાર બને એવી પ્રથા 2012 માં શરું થઈ.સેન્સ પ્રક્રિયામાં અને સર્વેના પણ હું આગળ હતો તે છતાં મને ટીકીટ ન આપી.અમારું હૃદય ભગવા ધારી છે હું જીતીશ તો ભાજપને જ સપોર્ટ કરીશ.અહીંયા ડુપ્લીકેટ ભાજપ છે જે ફક્ત રૂપિયા કમાવવા આવ્યા છે એમને અમારે ખુલ્લા પાડવાના છે.
Advertisement