ગાંધીનગર: એક તરફ આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ ગુજરાતમાં પ્રચાર કરી રહ્યા છે. બીજી તરફ ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીમાં આંતરિક વિખવાદ ઉભો થયો છે. અમદાવાદ શહેરના ઉપાધ્યક્ષે પાર્ટી દ્વારા જાહેર ઉમેદવાર વિરૂદ્ધ મોરચો ખોલી દીધો છે. શાકિર શેખે વેજલપુર બેઠક પરના પાર્ટીના ઉમેદવાર કલ્પેશ ઉર્ફે ભોલાભાઇ પટેલના નામની જાહેરાતનો વિરોધ કર્યો છે. પૈસા વાળાને ટિકિટ વેચવાનો આરોપ લગાવતા શાકિર શેખે રાજીનામુ આપી દીધુ છે.
Advertisement
Advertisement
આમ આદમી પાર્ટી અત્યાર સુધી 29 બેઠકો પર વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારની જાહેરાત કરી ચુકી છે. પાર્ટીએ વેજલપુર વિધાનસભા બેઠક પરથી કલ્પેશ ઉર્ફ ભોલાભાઇ પટેલને ટિકિટ આપીને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. પાર્ટીના આ નિર્ણયનો અમદાવાદ શહેરના ઉપાધ્યક્ષ શાકિર શેખે વિરોધ કર્યો છે. આટલુ જ નહી શાકિર શેખે કલ્પેશ પટેલને પેરાશૂટ ઉમેદવાર કરાર ગણાવતા આમ આદમી પાર્ટી પર ગંભીર આરોપ લગાવ્યો છે.
શાકિર શેખ અનુસાર જે પાર્ટી સ્થાનિક લોકોને ટિકિટ આપવાની વાત કરતી હતી, તેને એક પેરાશૂટ ઉમેદવારને ટિકિટ આપી છે. હું 2015થી વેજલપુર વિધાનસભા બેઠક પર સંગઠનને મજબૂત કરવાનું કામ કરી રહ્યો છું, જ્યારે કલ્પેશ પટેલ આ બેઠકના રહેવાસી પણ નથી. તે એક અમીર માણસ છે માટે કટ્ટર ઇમાનદારીનો દાવો કરનારી આમ આદમી પાર્ટીએ તેને ટિકિટ આપીને સાબિત કરી દીધુ કે તે પણ અન્ય પાર્ટી જેવી છે જ્યા કામ કરનારા કાર્યકર્તાઓને સમ્માન મળતુ નથી.
અમદાવાદ શહેરના ઉપાધ્યક્ષ શાકિર શેખે પાર્ટી વિરૂદ્ધ બળવો કરતા કહ્યુ કે વેજલપુરના પેરાશૂટ ઉમેદવારને પાર્ટીએ કામને કારણે નહી પણ પૈસાના બળ પર ટિકિટ આપી છે. મે પાર્ટીમાં પોતાની ફરિયાદ દર્જ કરાવવાનો પ્રયાસ કર્યો પરંતુ કોઇ અમારી વાત સાંભળવા તૈયાર નથી. આ મામલે તેમણે પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને દખલ કરવાની માંગ કરી છે. આટલુ જ નહી તેમણે આગળ કહ્યુ કે જો પાર્ટી અમારી માંગને નજરઅંદાજ કરશે તો હું પોતાના સેકડો સમર્થકો સાથે આમ આદમી પાર્ટીમાંથી રાજીનામુ આપી દઇશ.
Advertisement