- જો અમને અમારી જમીનનું યોગ્ય વળત નહિ મળે તો ચુંટણી બહિષ્કાર કરીશું: ગ્રામજનોની ચીમકી
- ગ્રામજનોએ મુખ્યમંત્રી ઓન લાઈન સ્વાગત નિવારણ કાર્યક્રમમાં 3 વખત લેખિત ફરિયાદ કરી હોવા છતાં કોઈ યોગ્ય પરિણામ કે જવાબ મળ્યો નથી.
વિશાલ મિસ્ત્રી રાજપીપલા: નર્મદા જિલ્લાના નાંદોદ અને ગરુડેશ્વર તાલુકા વચ્ચે સરકારે જમીન સંપાદિન કર્યા વગર જ ગેરકાયદેસર રીતે હાઈ લેવલ રિચાર્જ કેનાલ બનાવી દીધી હોવાનો આક્ષેપ જીતગઢથી ગોરા સુધીના ગ્રામજનોએ લગાવ્યો છે.ગ્રામજનોએ નર્મદા જિલ્લા વહીવટીતંત્રને આવેદનપત્ર આપી માંગણી કરી છે કે જો અમારી જમીનનું યોગ્ય વળતર નહીં મળે તો અમે તમામ ગ્રામજનો ચૂંટણી બહિષ્કાર કરીશું.
Advertisement
Advertisement
ગ્રામજનોને પોતાની રજુઆતમાં એમ જણાવ્યું છે કે કરજણ જમણા કાંઠા હાઈ લેવલ રિચાર્જ કેનાલ માટે ઉમરવા જોષી-2, શાકવા, જૂનવદ, સમારિયા, મોટા આંબા, જીતગઢ, વેલચંડી, મોટા રાજપરા, વાવડી, ગોરા, ભિલવશી -2 સહીતના ગામોની જમીન આજદિન સુધી સંપાદિત કરી નથી, કોઈ પણ ખેડૂતની પરવાનગી કે સંમતિ લેવામાં આવી નથી.રિચાર્જ કેનાલ બની ગયા છતાં અમને અત્યાર સુધી વળતરના નાણાં મળ્યા નથી. આ બાબતે અમે મુખ્યમંત્રી ઓન લાઈન સ્વાગત નિવારણ કાર્યક્રમમાં 3 વખત લેખિત ફરિયાદ કરી હોવા છતાં કોઈ યોગ્ય પરિણામ કે જવાબ મળ્યો નથી.આ જમીન કોની પરવાનગીથી સંપાદિત થયેલ છે એની માહિતી પણ કોઈ અધિકારી દ્વારા આપવામાં આવી નથી.આ સંપાદન થયેલ જમીનને આશરે 11 વર્ષ થઈ ગયાં છતાં ખાસ જમીન સંપાદન અધિકારીઓએ કરેલ નથી, આ બાબતે મહેસૂલ વિભાગ સચિવાલય દ્વારા નર્મદા જિલ્લા કલેકટરને તાકીદ કરાઈ હોવા છતાં કોઈ કાર્યવાહી કરાઈ નથી.
અમારી એવી માંગ છે કે અમારી જમીનનું વળતર અમને વેહેલામાં વેહલી તકે મળી જાય સરકાર એવી વ્યવસ્થા કરે.જો અમને અમારી જમીનનું વળતર નહિ મળે તો અમે તમામ ગ્રામજનો એક સંપ થઈ વર્તમાન સરકાર સામે ઉગ્ર આંદોલન કરીશું અને ચૂંટણીનો પણ બહિષ્કાર કરીશું.
Advertisement