સુરત કોર્પોરેશનના 10 કોર્પોરેટર ભાજપમાં ભળી ગયા અને એ પછી તરત જ પાછું અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટીના કુલસચિવે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સામે વડાપ્રધાનની ડિગ્રી માગવા મુદ્દે માનહાનિની ફરિયાદ કરી છે. ત્યારે આજે 17 એપ્રિલે સુરતમાં આપના ગુજરાતના પૂર્વ પ્રમુખ ગોપાલ ઈટાલિયાની ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અંગે વિવાદિત કોમેન્ટ બદલ ધરપકડ કરવામાં આવી હતી.
Advertisement
Advertisement
જો કે, પૂછપરછ બાદ ગોપાલ ઈટાલિયાને જામીન પણ મળી ગયા હતા. આ ધરપકડ અંગે ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે, આજ રોજ એક જૂની એફઆરઆઈ બાબતે સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા મને પૂછપરછ માટે બોલાવ્યો હતો,
ત્યાર પછી પૂછપરછ દરમિયાન પોલીસે મારી કાયદેસરની ધરપકડ કરી હતી, ક્રાઈમ બ્રાન્ચના કહેવા પ્રમાણએ ભાજપના કોઈ કાર્યકરે મારા વિરુદ્ધમાં થોડા સમય પહેલા એક ફરિયાદ આપેલી અને એ ફરિયાદ પ્રમાણે ભાજપના કાર્યકર્તાની મારા કોઈ ઉચ્ચારણ બાબતે લાગણી દુભાઈ હતી. એમનું એવું કહેવું છે કે મેં ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ વિષે અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી વિષે કેટલાક શબ્દો ઊચ્ચાર્યા હતા. જે બાબતથી ભાજપના કાર્યકરની લાગણી દુભાઈ છે. એવું ભાજપનું માનવું છે. જો કે જામીનપાત્ર ફરીયાદ હોવાથી ગોપાલ ઇટાલિયાને તરત જ જામીન મળી ગયા હતા.
Advertisement