જામનગર હાઇવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જામનગર હાઇવે પર પડધરી પાસે ટ્રેક્ટર અને કાર વચ્ચેના અકસ્માતમાં ચાર લોકોના મોત નીપજ્યા છે. હાલ સ્થાનિક પોલીસે આ અકસ્માત અંગે વધુ તપાસ શરૂ કરી છે.
Advertisement
Advertisement
આ અંગે મળતી માહિતી પ્રમાણે, કાર પડધરી તરફ જઇ રહી હતી. જ્યારે સામેથી ટ્રેક્ટર આવી રહ્યું હતુ. આ બંને વચ્ચે ધડાકાભેર અકસ્માત સર્જાયો છે. હાલ મળતી પ્રાથમિક માહિતી પ્રમાણે, ચાર મૃતકોમાં ત્રણ લોકો રાજકોટના હોવાનું સામે આવી રહ્યું છે અને એક મૃતક અન્ય જગ્યાનો છે.
ઉલ્લેખનિય છે કે, મંગવારની મોડી રાતે મહેસાણામાં થયેલા એક અકસ્માતમાં એક બાળક અને મહિલાનું મોત થયું હતું. મહેસાણાના નંદાસણ નજીક લક્ઝરી બસ પલટી ખાતા એક મહિલા સહિત બાળકનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. લક્સરી બસ સુરતથી જોધપુર તરફ જઈ રહી હતી ત્યારે અચાનક પલટી ખાધી હતી.
Advertisement