બોટાદ રેલવે સ્ટેશને ડેમુ ટ્રેનમાં આગ લાગતા દોડધામ મચી હતી. જો કે સદનસીબે આ ટ્રેન પ્લેટફોર્મ નંબર 7 ઉપર બંધ હાલતમાં હતી ત્યારે આગ લાગી હતી. જેના કારણે મોટી જાનહાની થતા રહી ગઈ હતી.
Advertisement
Advertisement
જો કે સમયસર રેલવે વિભાગના અધિકારીઓને જાણ થતા ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને ફાયર ફાઈટરના 30 જવાનો સહિત 3 ફાયરની ગાડી દ્વારા પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો. બે કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો.
ડેમુ ટ્રેન બોટાદથી સુરેન્દ્રનગર સાંજે 6 વાગે ઉપડે છે. ટ્રેન બોટાદ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 7 ઉપર બંધ હાલતમાં હતી ત્યારે એકાએક વિકરાળ આગ લાગી હતી. જોકે આગ લાગવાનું કારણ હજી અકબંધ છે. ફાયર ટીમને જાણ થતા જ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આગ ઉપર કાબૂ મેળવાનો પ્રયાસ શરૂ કર્યો હતો
Advertisement