ગાંધીનગર: નાણા મંત્રી કનુભાઇ દેસાઇ શુક્રવારે રાજ્યનું બજેટ રજૂ કરશે. 2023-24 માટે બજેટ આકારમાં 18થી 20 ટકાનો વધારો થવાની શક્યતા છે. આ બજેટનો આકાર 2.90 લાખ કરોડ રહેવાની આશા છે.
Advertisement
Advertisement
ગત વર્ષે 2.43 લાખ કરોડ રૂપિયાનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. GST રિફંડ ખતમ થયા બાદ રાજ્ય સરકારને પેટ્રોલ-ડીઝલ પર વેટથી કમાણી થઇ રહી છે. 15 એપ્રિલથી નવા જંત્રી દર લાગુ થવાથી આવતા નાણાકીય વર્ષમાં સ્ટાંપ શુલ્ક રાજસ્વમાં પણ વધારો થવાની આશા છે.
સૌથી વધુ બજેટ સ્વાસ્થ્ય, શિક્ષણ અને સામાજિક ક્ષેત્રને ફાળવાશે
બીજી તરફ રાજ્ય સરકાર તરફથી પણ યોગ્ય ઉપાય કરવામાં આવી રહ્યા છે. સૌથી મોટી નાણાકીય ભાર ધરાવનારી કેટલીક યોજનાઓ બંધ થઇ જશે અને તેમનો દાયરો ઓછો થશે. બીજી તરફ કેન્દ્ર સરકારની સહાયતા ધરાવતી યોજનાઓના વિસ્તાર પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. નવા બજેટમાં સૌથી વધુ બજેટ સ્વાસ્થ્ય, શિક્ષણ અને સામાજિક ક્ષેત્રને ફાળવવામાં આવશે.
પ્રવાસન હવે અલગ વિભાગ બનશે, બજેટમાં જાહેરાતની શક્યતા
રાજ્ય સરકારે રાજ્યમાં પ્રવાસન ક્ષેત્રનો દાયરો વધારવા પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કર્યુ છે. સ્ટેચ્યુ ઓફ યૂનિટી, કચ્છનું સફેદ રણ જેવા પ્રવાસન સ્થળ આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર બની ગયુ છે. સોમનાથ, દ્વારકા, અંબાજી અને પાવાગઢ સહિત અન્ય તીર્થસ્થળો પર લાખો પ્રવાસી આવે છે.
પ્રવાસન ગતિવિધિઓને ભાર આપવા માટે બજેટમાં પ્રવાસન માટે એક અલગ વિભાગના રૂપમાં જાહેરાત કરવાની શક્યતા છે. પ્રવાસન વિભાગમાં અલગ સંસ્થા ફાળવીને નાણાકીય જોગવાઇ પણ વધારવામાં આવશે.
Advertisement