અમદાવાદ: ગુજરાત વિધાનસભા ચૂંટણી મતદાનની તારીખ જેમ-જેમ નજીક આવી રહી છે, તેમ રાજકીય ગરમાવો વધી રહ્યો છે. આમ આદમી પાર્ટીની એન્ટ્રીથી આ વર્ષે ત્રિકોણીયો મુકાબલો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ વચ્ચે જૂહાપુર મુસ્લિમ ફાઈટર ક્લબ નામની મુસ્લિમ સંસ્થાએ આમ આદમી પાર્ટીના સપોર્ટમાં એક ફતવો જાહેર કર્યો છે. આ ફતવા હેઠળ લોકોને વચન લેવડાવવામાં આવશે કે, તેઓ આજ પછી હંમેશા માટે આમ આદમી પાર્ટીને સપોર્ટ કરશે.
ફાઈટર ગ્રુપ સાથે જોડાયેલા લોકો એક હાથમાં ઝાડૂ અને બીજા હાથમાં પવિત્ર કુરાન લઈને નિકળશે અને આમ આદમી પાર્ટી માટે પ્રચાર કરશે. તે ઉપરાંત આ ગ્રુપ સાથે જોડાયેલા 3000થી વધારે લોકો આપ તરફી વોટિંગ કરે તે માટે વચન પણ અપાવવામાં આવશે.
મુસ્લિમ ફાઈટર સાથે જોડાયેલા લોકોનું કહેવું છે કે, આમ આદમી પાર્ટી જેવી રીતે દિલ્હીના લોકોને પ્રાથમિક સુવિધાઓ આપી રહી છે, તેવી જ રીતે ગુજરાતના લોકોને પણ આ સુવિધાઓ આપશે તે આશા સાથે જ તેઓ આમ આદમી પાર્ટી સાથે જોડાઇ રહ્યાં છે.
Advertisement
Advertisement
View this post on Instagram
ગુજરાતમાં ધાર્મિક મુદ્દો રાજકારણમાં મહત્વપૂર્ણ ભાગ ભજવે છે. કદાચ એટલે જ જાહેરમાં મુસલમાનો ના નામ લેવાથી વિવતી આમ આદમી પાર્ટી ના નેતાઓ ફાઈવ્ સ્ટાર હોટલોમાં મુસ્લિમોની સભા યોજીને તેમનો સમર્થન જોડાવી રહી છે.
ઉલ્લેખનીય છે કે, મુસ્લિમ ફાઇટર ક્લબના આ સંમેલનમાં આમ આદમી પાર્ટીના કોઈ મોટા નેતા ઉપસ્થિત ના હતા પરંતુ તેમના ઉમેદવારના ભાઈ અને પરિવારો દ્વારા ચુપચાપ મુસ્લિમોના સમર્થન પ્રાપ્ત કરાઈ રહ્યો છે.
સ્વભાવિક રીતે મુસ્લિમોને કોંગ્રેસના વોટબેંક તરીકે દેખવામાં આવે છે, પરંતુ મુસ્લિમ વોટ બેંકની છાપના કારણે કોંગ્રેસ છેલ્લા 30 વરસથી સત્તાથી દૂર છે. કદાચ એટલે જ બજરંગબલી ના ભક્ત બની કેજરીવાલ બારણાં પાછળથી અલીના મતોનું ખેલ પાડી રહ્યા છે.
View this post on Instagram
Advertisement