પ્રસ્તુત તસવીર અમદાવાદ જિલ્લાની છે. અમદાવાદ જિલ્લામાં બાવળા, બગોદરા, સાણંદ, દશક્રોઈ અને વિરમગામમાં સંખ્યાબંધ ખેતરોમાં પાણી ભરાતા ખેડૂતોના ઊભા પાકમાં નુકસાન થવા પામ્યું છે.
Advertisement
Advertisement
કેટલાંક વિસ્તારોમાં બરફના કરા પડતાં ખેડૂતોની દયનીય સ્થિતિ થઈ છે. જો કે ગુજરાત સરકારે નુકસાનનો સર્વે પણ ચાલુ કરાવી દીધો છે. તેમ છતાંય મહામહેનતે ઊભા થયેલા પાક પર પાણી ફરી વળતા અનેક ખેડૂત પરિવારોમાં રુદન કે આક્રંદ જોવા મળ્યું હતું.
ભારતનો ખેડૂત એક બાળકની જેમ પોતાના પાકનો ઉછેર કરતો હોય છે અને તેના ઉગવા સાથે તેના આખા વર્ષના સપનાં બંધાતા હોય છે. પરંતુ આ વર્ષે અચાનક આવનારા બિનમોસમી વરસાદે ઘઉં, કપાસ અને જીરાના પાક પર પાણી ફેરવી દીધું છે.
દક્ષિણ અમદાવાદ જિલ્લાના કેટલાંક વિસ્તારોમાં બરફના કરા પડ્યા હતા જેના કારણે કરાના મારથી અને પાણીના ભરાવા સાથે જ ખેતરના ક્યારાઓ ભરાઈ જવાથી ઊભા પાક બેસી જવા પામ્યા હતા. તેમ છતાંય ક્યાંય વરસાદ બંધ થવાનું નામ લેતો નથી. આજે સતત સાતમા દિવસે પણ ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં વાતાવરણ વાદળછાયું રહ્યું હતું.
ગઈકાલે અમદાવાદમાં સમી સાંજે પણ ગોતા અને ઉત્તર ઝોનના વિસ્તારોમાં વરસાદના ઝાપટાં અને વિજળી પડવાના બનાવો બનાવો બન્યા હતા.
Advertisement