ચેન્નઈ: બે દાયકાથી વધુ સમય પછી કોંગ્રેસના પ્રથમ બિન-ગાંધી પ્રમુખ પદ માટે મેદાનમાં રહેલા પક્ષના વરિષ્ઠ નેતા શશિ થરૂરને તમિલનાડુમાં પક્ષના પ્રતિનિધિઓ તરફથી ઠંડો પ્રતિસાદ મળતાં તેમને આંચકો લાગ્યો હતો. 66 વર્ષિય શશી થરૂર ગુરુવારે (6 ઓક્ટોબર) રાજ્યના 700થી વધુ કોંગ્રેસના પ્રતિનિધિઓનું સમર્થન મેળવવા માટે ચેન્નાઈમાં હતા, પરંતુ તેમાંથી માત્ર 12 જ તેમની બેઠકમાં હાજર રહ્યા હતા. આ બેઠક પાર્ટીના રાજ્ય મુખ્યાલય સથિયામૂર્તિ ભવનમાં યોજાઈ હતી.
Advertisement
Advertisement
પાર્ટીના સૂત્રોએ સંકેત આપ્યો હતો કે થરૂર મીટિંગમાં હાજરી આપીને ‘સત્તાવાર’ ઉમેદવાર મલ્લિકાર્જુન ખડગેની વિરુદ્ધ જોવામાં આવી શકે તેમ હતું, જેને દેખીતી રીતે ગાંધી પરિવારનું સમર્થન છે. અશોક ગેહલોત રેસમાંથી બહાર થઈ ગયા બાદ છેલ્લી ઘડીએ ખડગેની એન્ટ્રી થઈ હતી.
થરૂરે ચેન્નાઈમાં પત્રકારોને જણાવ્યું હતું કે, “જો તેઓ મારી મીટિંગમાં આવવાથી ડરતા હોય તો તે તેમનું નુકસાન છે. અહીં અમે રચનાત્મક વાત-ચીત કરી શક્યા હોત.” “ગાંધી પરિવારે સ્પષ્ટતા કરી છે કે તેમની પાસે કોઈ સત્તાવાર ઉમેદવાર નથી. તેમણે કહ્યું- અમે મલ્લિકાર્જુન ખડગે સત્તાવાર ઉમેદવાર છે તેવી માન્યતાને દૂર કરીશું,”
તમને જણાવી દઈએ કે થરૂર પહેલા એવા નેતા છે, જેમણે કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી. તેમણે સોનિયા ગાંધીને મળ્યા બાદ જ આની જાહેરાત કરી હતી.
ગયા અઠવાડિયે એનડીટીવીને આપેલા ઇન્ટરવ્યુમાં થરૂરે કહ્યું હતું કે સોનિયા ગાંધીએ જ તેમને કહ્યું હતું કે, “ચૂંટણી લડવા માટે આપનું સ્વાગત છે.” થરૂરે ધ્યાન દોર્યું હતું કે સોનિયા ગાંધીએ કહ્યું હતું કે પાર્ટી પાસે કોઈ “સત્તાવાર ઉમેદવાર” નહીં હોય અને તેમનો આખો પરિવાર તટસ્થ રહેશે.
Advertisement