નવી દિલ્હી: ભાજપા અને કોંગ્રેસ બંને એક બીજા પર કેન્દ્રીય તપાસ એજન્સીઓનો ખોટા ઉપયોગનો આરોપ લગાવતા રહ્યાં છે. 3 જૂલાઈએ મહારાષ્ટ્રના વિધાનસભામાં વોટિંગ દરમિયાન વિપક્ષી મહાવિકાસ અઘાડી ગઠબંધનના નેતાઓએ ED-ED (એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ)ના નારા લગાવ્યા હતા. તેમનો આરોપ હતો કે એકનાથ શિંદેના નેતૃત્વવાળા શિવસેના જૂથે ઈડીના ડરથી ભાજપ સાથે હાથ મિલાવ્યો છે.
Advertisement
Advertisement
ઈન્ડિન એક્સપ્રેસે પોતાના એક રિપોર્ટમાં જણાવ્યું છે કે, વર્ષ 2014થી અત્યાર સુધી એટલે પાછલા આઠ વર્ષોમાં નેતાઓ વિરૂદ્ધ ઈડીનો ઉપયોગ ચાર ગણો વધારી દેવામાં આવ્યો છે. આ વર્ષો દરમિયાન 121 પ્રમુખ રાજનેતા તપાસના દાયરામાં આવ્યા છે, જેમાંથી 115 વિપક્ષના છે. આવી રીતે એનડીએ રાજમાં ઈડીની 95 ટકા કાર્યવાહી વિપક્ષી નેતાઓ પર થઈ છે.
એક્સપ્રેસે પોતાના રિપોર્ટ માટે પાછલા 18 વર્ષોમાં ઈડી દ્વારા બુક કરેલા, ધરપકડ કરેલા અને રેડની કાર્યવાહીનો સામનો કરનારા નેતાઓના રેકોર્ડની તપાસ કરી છે. તપાસમાં સામે આવ્યું છે કે આ વર્ષોમાં જે 147 પ્રમુખ રાજનેતાઓ વિરૂદ્ધ કાર્યવાહી થઈ છે, જેમાં 85 ટકા વિપક્ષી પાર્ટીના નેતાઓ છે.
યૂપીએ શાસન (2004થી 2014)માં ઈડીની કેસબુકના આંકડા અલગ મળે છે. આ દરમિયાન માત્ર 26 નેતાઓની તપાસ કરવામાં આવી હતી, જેમાં 14 (54 ટકા) વિપક્ષના નેતા હતા.
ઈડીની કેસોમાં નોંધપાત્ર ઉછાળા પાછળ પ્રિવેન્સ ઓફ મની લોન્ડ્રિંગ એક્ટ (પીએમએલએ)ને કારણભૂત માનવામાં આવે છે. પીએમએલએ 2005માં લાગૂ થયો. તે પછી કાયદાને સતત મજબૂત કરવામાં આવ્યો. કડક જામીન શરતો સાથે, એક્ટની જોગવાઈ હવે ધરપકડ કરવા અને આરોપીની સંપત્તિને ટાંચમાં લેવાની શક્તિ પણ પ્રદાન કરે છે.
વર્ષ 2014માં કઈ પાર્ટીના નેતા ઈડીની તપાસના દાયરા હેઠળ આવ્યા
અનેક નેતાઓએ તપાસ શરૂ થયા પછી પાર્ટી બદલી લધી પરંતુ યાદીમાં નેતાઓને તે રાજકીય પાર્ટીઓ હેઠળ દર્શાવવામાં આવ્યા છે, જેમાં તેઓ પહેલાથી હતા, અથવા તપાસ પહેલા જે પાર્ટી સાથે જોડાયેલા હતા. આમાં અસમના મુખ્યમંત્રી હિંમત બિસ્વા સરમાના ઉદાહરણથી સમજી શકાય છે. વર્ષ 2014 અને 2015માં સીબીઆઈ અને ઈડીએ સારદા ચિટફંડ કૌભાંડ કેસમાં હેમંત બિસ્વા સરમા સાથે પૂછપરછ કરી હતી. સીબીઆઈએ 2014માં તેમના ઘર અને કાર્યાલય પર દરોડા પાડ્યા હતા. ત્યારે સરમા કોંગ્રેસના નેતા થયા કરતાં હતા. હાલમાં તેઓ ભાજપમાં છે. પાર્ટી બદલ્યા પછી તેમના કેસમાં કોઈ જ આગળની તપાસ થઈ નથી.
તેવી જ રીતે તત્કાલિન ટીએમસી નેતા સુવેન્દુ અધિકારી અને મુકુલ રોયને નારદ સ્ટિંગ ઓપરેશન કેસમાં સીબીઆઈ અને ઈડીના તપાસના દાયરામાં રાખવામાં આવ્યા હતા. અધિકારી અને રોય પાછલા વર્ષે પશ્ચિમ બંગાળ ચૂંટણી પહેલા ભાજપમાં સામેલ થયા હતા. તે પછી તેમના કેસમાં પણ આગળની તપાસમાં કોઈ મહત્વપૂર્ણ પ્રગતિ નથી. રોય ફરીથી ટીએમસીમાં સામેલ થઈ ગયા છે.
વર્ષ 2019માં ઈડીએ TDP સાંસદ વાઈ એસ ચૌધરીની સંપત્તિ ટાંચમાં લીધી હતી. તપાસ અને ટાંચની કાર્યવાહીમાં કેટલાક મહિનાઓ પછી ચૌધરી ભાજપમાં સામેલ થઈ ગયા. જો કે ઈડીએ તેમના વિરૂદ્ધ ચાર્જશીટ ફાઈલ કરી છે.
NDA-IIમાં કમલનાથ, કેપ્ટન અમરિંદર સિંહ અને ગાંધી પરિવાર સહિત કોંગ્રેસના પ્રમુખ નેતાઓને ઓછામાં ઓછા 6 સંબંધીઓ અને પરિવારના સભ્યોને તપાસના દાયરામાં રાખવામાં આવ્યા છે. કેરલના સીપીઆઈ (એમ) નેતા કોડિયેરી બાલકૃષ્ણનના પુત્રને પણ ઈડીની તપાસનો સામનો કરવો પડી રહ્યો છે. કેપ્ટન અમરિંદર સિંહ પાછલા સોમવારે જ ભાજપમાં સામેલ થયા છે.
તપાસનો સામનો કરનારા અન્ય વરિષ્ઠ વિપક્ષી રાજનેતાઓમાં કર્ણાટકના ડી કે શિવકુમાર, હરિયાણાના પૂર્વ સીએમ ભૂપેન્દ્ર સિંહ હૂડ્ડા અને દિવંગત રાજ્યસભા સાંસદ અહેમદ પટેલના નામ સામેલ છે. આ લિસ્ટમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જિનો ભત્રીજો અભિષેક બેનર્જિ સહિત એક ડઝનથી વધારે પ્રમુખ ટીએમસી નેતાઓના નામ સામેલ છે.
એનસીપીથી શરદ પવાર, અજીત પવાર, અનિલ દેશમુખ, નવાબ મલિક અને પ્રફુલ પટેલની તપાસ ચાલી રહી છે. શિવસેનાના સંજય રાઉત અને અનિલ પરબ પણ તપાસના દાયરામાં છે. બિહારના પૂર્વ સીએમ લાલૂ પ્રસાદ અને તેમનું પરિવાર પણ કેન્દ્રીય તપાસ એજન્સીની રડાર પર છે.
તે ઉપરાંત રેકોર્ડથી તે પણ સામે આવી રહ્યું છે કે ઈડીએ ભાજપા નેતા સુધાંશુ મિત્તલની પત્નીના ભાઈ લલિત ગોયલ વિરૂદ્ધ પણ કેસ નોંધાવ્યો છે. તેમના પર કથિત રીતે રોકાણકારો અને ઘર ખરીદદારો સાથે છેતરપિંડી કરવાનો આરોપ છે.
Advertisement