નવી દિલ્હી: દિલ્હીમાં સરકાર અને ઉપરાજ્યપાલ વચ્ચે ટકરાવ વધી રહ્યો છે. દિલ્હી સરકારના તમામ મંત્રીઓએ પોતાના વિભાગના સચિવોને પત્ર લખીને આદેશ કર્યો છે કે સીધા ઉપ રાજ્યપાલના આદેશનું પાલન ના કરો, તેમની સૂચના પ્રભારી મંત્રીને આપો. ટ્રાન્જેક્શન ઓફ બિઝનેસ રૂલ્સ (TBR)નું કડકાઇથી પાલન કરો.
Advertisement
Advertisement
દિલ્હીના ઉપ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ કહ્યુ- LG સીધા સચિવોને આદેશ જાહેર કરીને TBR અને સુપ્રીમ કોર્ટના નિર્ણયના નિયમ 49 અને 50નું ઉલ્લંઘન કરી રહ્યા છે. LGના આવા ગેરકાયદેસર આદેશને લાગુ કરવા TBRના નિયમ 57નું ઉલ્લંઘન માનવામાં આવશે. LGના વિભાગોને સીધો આદેશ આપવો બંધારણ અને સુપ્રીમ કોર્ટના આદેશનું ઉલ્લંઘન છે.
ગત મહિને કાયદાનું પુસ્તક લઇને LGને મળવા પહોચ્યા હતા કેજરીવાલ
ગત મહિને દિલ્હીમાં શિક્ષકોને ટ્રેનિંગ માટે ફિનલેન્ડ જતા રોકવાના મુદ્દા પર રાજકારણ ગરમાયુ હતુ. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ દિલ્હીના LG વીકે સક્સેનાને મળવા કાયદાનું પુસ્તક લઇને પહોચ્યા હતા. LG સાથે મુલાકાત બાદ કેજરીવાલે કહ્યુ કે અમે મળીને કામ કરવા માંગીએ છીએ.
LG સાથે મુલાકાત બાદ કેજરીવાલે કહ્યુ કે ગત કેટલાક મહિનાથી અમે લોકો જોઇ રહ્યા છીએ કે દિલ્હી સરકારના કામમાં તેમનો હસ્તક્ષેપ વધતો જઇ રહ્યો છે, જેનાથી દિલ્હીના લોકોનું કામ થઇ શકતુ નથી, તેને લઇને આજે ઉપ રાજ્યપાલને મળવા ગયો હતો. હું દેશના બંધારણ, જીએનસીટી એક્ટ સહિત કેટલાક કાયદાના પુસ્તક લઇને ગયો હતો.
Advertisement