કરનાલ: ‘ભારત જોડો યાત્રા’ 2024ની લોકસભા ચૂંટણી માટે રાહુલ ગાંધીને વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે રજૂ કરવાની કવાયત નથી. કોંગ્રેસના સીનિયર નેતા જયરામ રમેશે હરિયાણાના કરનાલામં આ વાત કહી હતી.
Advertisement
Advertisement
એક પ્રશ્નના જવાબામં કોંગ્રેસના મહાસચિવ અને પાર્ટીના સંચાર અને મીડિયા વિભાગના પ્રભારી જયરામ રમેશે કહ્યું, “આ ભારત જોડો યાત્રા રાહુલ ગાંધીને વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે રજૂ કરવા માટે નથી. આ એક વૈચારિક યાત્રા છે, જેનો મુખ્ય ચહેરો રાહુલ ગાંધી છે. આ કોઇ એક વ્યક્તિની યાત્રા નથી.
જયરામ રમેશે ભારપૂર્વક જણાવ્યું હતું કે ‘કન્યાકુમારીથી કાશ્મીર સુધીની પદયાત્રા ચૂંટણી યાત્રા નથી’, જે વર્તમાનમાં હરિયાણાના કરનાલમાંથી પસાર થઈ રહી છે. આ સાથે તેમણે કહ્યું કે રાહુલ ગાંધીએ યાત્રામાં ત્રણ મુખ્ય મુદ્દા ઉઠાવ્યા છે, જેમાં આર્થિક અસમાનતા, સામાજિક ધ્રુવીકરણ અને રાજકીય નિરંકુશતા સામેલ છે.
કોંગ્રેસ ‘ભારત જોડો યાત્રા’ દ્વારા વિચારધારાની લડાઈ લડી રહી છે
જયરામ રમેશે આ પહેલા ગુરુવારે કહ્યું હતું કે કોંગ્રેસ ચૂંટણીની વ્યસ્તતાને કારણે વિચારધારાઓની લડાઈમાં પાછળ રહી ગઈ હતી, પરંતુ પાર્ટીએ પહેલીવાર વિચારધારાઓના મુકાબલાને ઓળખ્યો છે અને આજે ‘ભારત જોડો યાત્રા’ના માધ્યમથી વિચારધારાઓની તે લડાઇ લડી રહી છે, જે કેટલાક વર્ષ પહેલા લડી લેવી જોઇતી હતી.
જયરામ રમેશે કહ્યુ, ‘દેશમાં આ સમયે બે વિચારધારાઓ વચ્ચે સીદી ટક્કર છે. એક ભાજપ અને સંઘની વિચારધારા છે અને બીજી કોંગ્રેસની વિચારધારા છે. જયરામ રમેશે એક સવાલના જવાબમાં કહ્યું, ‘રાહુલ ગાંધી પહેલા જ કહી ચુક્યા છે કે અમે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) મુક્ત ભારત નથી ઇચ્છતા, કારણ કે દેશમાં ઘણા લોકો તેની સાથે જોડાયેલા છે. અમે તેમણે માત્ર એટલુ સમજાવવા માંગીએ છીએ કે ભારત વિવિધતા ધરાવતો દેશ છે અને આ વિવિધતાઓને સંઘના વિચાર અને વિચારધારા દ્વારા સમ્માન નથી આપી શકાતું.’
Advertisement