છેલ્લા દસ દિવસથી ભરઉનાળે કમોસમી વરસાદને કારણે ખેતીમાં થયેલા પારવાર નુકસાનનો આંકડો દિવસને દિવસે મોટો થતો જાય છે. સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાતમાં મોટા પ્રમાણમાં ખેતીને નુકસાન જોવા મળી રહ્યું છે.
રાજ્યના મુખ્યમંત્રીએ રાજ્યકક્ષાના સ્વાગત ઓનલાઈન જન ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં આવેલી રજૂઆતોના નિરાકરણ માટે અરજદારો-નાગરિકોની સુચારુ સમસ્યા નિવારણ જિલ્લાસ્તરે જ થવું જોઈએ તેવું જણાવ્યું હતું.
ગુરુવારના રોજ યોજાયેલા રાજ્ય સ્વાગત કાર્યક્રમમાં પાંચ જેટલી રજૂઆતો મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સમક્ષ રજૂ કરાઈ. આ કાર્યક્રમમાં મોરબી, બનાસકાંઠા, બોટાદ, સુરેન્દ્રનગર અને મહેસાણા જિલ્લાઓમાંથી અરજદારોએ પ્રત્યક્ષ આવીને રજૂઆતો કરી હતી.
મુખ્યમંત્રીએ તેમની આ રજૂઆતો સંદર્ભે સંબંધિત જિલ્લા કલેક્ટરો સાથે વિડિયો કોન્ફરન્સ કરીને વિગતો મેળવી હતી તથા તેના નિવારણ માટે યોગ્ય કાર્યવાહીનું માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
ઉપરાંત મુખ્યમંત્રીએ કમોસમી વરસાદથી થયેલી નુકસાનીનો સર્વે પણ કરાવી લેવાની જિલ્લા કલેક્ટરોને તાકીદ કરી હતી.
Advertisement
Advertisement
Advertisement