ગાંધીનગરના સીઆરપીએફ કેમ્પમાં ગાર્ડ તરીકે ફરજ બજાવતા સબ ઈન્સ્પેક્ટર કિશનભાઈ મોહનભાઈ રાઠોડે આજે QAT બેરેકમાં સૂતાં સૂતાં જ AK – 47 ગનથી ફાયરિંગ કરીને આત્મહત્યા કરી લીધી હોવાની ઘટના બની છે.
Advertisement
Advertisement
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર સીઆરપીએફ કેમ્પમાં 59 વર્ષના કિશનભાઈ રાઠોડ ગાર્ડ તરીકે ફરજ બજાવતા હતા. સબ ઇન્સ્પેકટરની રેન્ક ધરાવતા કિશનભાઈએ AK – 47 નોકરીના ભાગરૂપે સાથે જ રાખતા હતા. આજે અચાનક એકે.47 લમણે મુકીને તેમણે આપઘાત કરી લીધાની જાણ થતાં જ સ્થળ ઉપર જઈ તપાસ હાથ ધરવામાં આવી હતી.
મૂળ દસ્કોઈ તાલુકાના બીલાસિયા ગામના વતની કિશનભાઈનો પરિવાર અમદાવાદ રખિયાલ સૂરધારા સોસાયટીમાં રહે છે અને એક વર્ષ પછી કિશનભાઈ રિટાયર્ડ થવાના હતા અને બે દિવસ અગાઉ જ પરિવારને મળવા માટે ઘરે ગયા હતા. આજે તેઓ પોતાની ફરજ ઉપર હાજર હતા. એ વખતે બેરેક QATમાં લોખંડના પલંગ ઉપર તેઓ સૂઇ ગયા હતા.
આજે અચાનક પોતાની AK – 47 ગનથી ફાયરિંગ કરી આપઘાત કરી લીધો હતો. અચાનક ફાયરિંગનો અવાજ આવતા અન્ય જવાનો દોડી આવ્યા હતા અને ઉચ્ચ અધિકારીઓને પણ જાણ કરવામાં આવી હતી. છેલ્લા ઘણા સમયથી કિશનભાઈનાં પગનું હાડકું વધી રહ્યું હતું. જે બીમારીના કારણે કિશનભાઈ પીડાતા હતા. પરિવારની પૂછતાછ કરતાં હાલમાં કોઈ ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી. તેમજ સાથી કર્મચારીઓની પણ પૂછતાછ કરવામાં આવી રહી છે.
Advertisement